Proud of Gujarat
INDIAFeaturedGujarat

છોટાઉદેપુર નગરપાલિકા ફાયર અને ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓ દ્વારા “અગ્નિશમન સેવા દિન” ની ઉજવણી કરાઇ.

Share

14 મી એપ્રિલ ૧૯૪૪ ના રોજ મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટ ભરેલા દારૂગોળો તથા અન્ય અતી જ્વલનશીલ માંલ સામાન ભરેલ એક એસ.એસ. ફોર્ટ સ્ટાઈનીક એક બ્રિટિશ માલવાહક જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના જવાનોએ લોક સલામતી કાજે પોતાના જાનની પરવા કર્યા વગર દેશની માલ મિલકતનું રક્ષણ કરવા પોતાની જાનનું બલિદાન આપ્યું હતું, આ સાથે 300 થી વધારે અન્ય લોકો પણ ધડાકાનો ભોગ બન્યા હતા. કુદરતી હોનારત અને માનવસર્જિત હોનારતમાં લોકોના જાન-માલનું રક્ષણ કરવા પોતાના જાન ન્યોછાવર કરી પ્રાણની આહુતિ આપી ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી અનામી શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે ૧૪ મી એપ્રિલને અગ્નિશમન સેવાદિન તરીકે મનાવી અગ્નિશમન સેવાના તમામ નામી-અનામી વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

આજરોજ 14 મી એપ્રિલ 2022 ને ગુરુવારે છોટાઉદેપુર નગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી સર્વિસના જવાનોએ અગ્નિશમન સેવા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ફાયર સ્ટેશનના જવાનોએ છોટાઉદેપુર નગરપાલિકાના ફાયરના વાહનોની નગરમાં એક જન જાગૃતી રેલી યોજી ફાયરના સાધનોથી લોકોને અવગત કરાવ્યા હતા.

Advertisement

Share

Related posts

આત્મહત્યાનો પ્રયાસ કરનાર પોલીસકર્મીનુ સારવાર દરમિયાન મોત

ProudOfGujarat

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અંકલેશ્વરમાં સરદાર પટેલવાડી ખાતે લેઉઆ પટેલ સમાજના સભ્યો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી

ProudOfGujarat

ગુજરાતમાં હવે દારૂનો પતો મેળવવા હવે બીગલ શ્વાન પોલીસને મદદ કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!