છોટાઉદેપુર આમ આદમી પાર્ટી દ્વારા પ્રાંત અધિકારી બોડેલીને યુવરાજસિંહ 360 અને ૩૩૨ ની કલમ હેઠળ થયેલ ખોટા કેસો પરત લેવામાં આવે અને તત્કાલ એમને ધરપકડ માંથી મુક્ત કરવા બાબતે આવેદનપત્ર આપ્યું.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા પત્રના માધ્યમથી ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પરીક્ષાઓમાં યેનકેન પ્રકારે થતા ગોટાળાઓ અને પરીક્ષા પહેલા પેપર લીકના દાખલાઓ યુવરાજસિંહ જાડેજા મીડિયાના માધ્યમથી જાગૃત કરતા રહ્યા અને અવાજ ઉઠાવતા રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુવરાજસિંહ દ્વારા ઉઠાવેલા અવાજના કારણે બિન સચિવાલય ક્લાર્કથી માંડીને અનેક ભરતી પરીક્ષાઓ રદ કરવાની સરકારને ફરજ પડી હતી. સેકડો વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે એમને ન્યાય આપવા બાબતે સરકારી તેમાં થતી ગેરરીતિ બાબતે યુવરાજસિંહ જાડેજા લડતા રહ્યા છે.
જેથી આપને વિનંતી છે કે આપણા રાજ્યના યુવાનોના પ્રશ્નો રજુ કરતા યુવરાજસિંહ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં સરકારી ભરતીઓમાં થતા કૌભાંડોને પ્રકાશિત કરીને એક રીતે ગુજરાત સરકારની મદદ કરે છે એમને ન્યાય આપીને સાચા ગુનેગારને પકડવા જોઈએ અને યુવરાજ સિંહ પર ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે ગુનામાં લગાવેલા 307 અને 332 જેવી કલમ હટાવી ને એમની ધરપકડ માંથી મુક્ત કરવા જોઈએ . યુવરાજસિંહ પર લગાવેલ ગુનાઓ દૂર કરવામાં આવે અને એમને રિલીઝ કરવામાં આવે એવી આમ આદમી પાર્ટી દ્વારા માંગણી કરવામાં આવે છે સમગ્ર ગુજરાતમાં લાખો વિદ્યાર્થીઓ યુવરાજસિંહ જાડેજા ની સાથે છે તેમ જણાવ્યું હતું.
ફૈજાન ખત્રી કલારાણી જી.છોટાઉદેપુર