Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગરમાં રખડતાં શ્વાને બચકાં ભરતાં મહિલાનું મોત

Share

ભાવનગરના જેસર દેપલા ગામમાં રખડતાં શ્વાને એક મહિલા પર હૂમલો કર્યો હતો. હડકાયા શ્વાને મહિલાને ગાલ અને શરીર પર બચકાં ભર્યાં હતાં. જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેમને સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ મહિલા ચાર સંતાનોની માતા હતી. તેમના મોત બાદ ચાર સંતાનોના માથેથી માતાની છત્ર છાયા મટી ગઈ છે.

આ બનાવ બન્યા બાદ ગામમાંથી રખડતા શ્વાનને દૂર કરવાની માંગ કરવામાં આવી છે. આવા હૂમલાઓથી અનેક લોકોના જીવ ગયાં છે અને અનેક લોકો ગંભીર ઈજાઓનો સામનો કરી રહ્યાં છે. ત્યારે તંત્ર દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે પણ કોઈ નક્કર પગલાં લેવામાં આવતાં નથી. જેસર દેપલા ગામમાં શ્વાનના હૂમલાને કારણે ચાર સંતાનોએ તેમની માતા ગુમાવી હોવાથી ગામના લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ગામના સરપંચે પણ ગામમાંથી રખડતાં શ્વાનોને દૂર કરવાની માંગ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ના સ્ટેશન રોડ પર રસ્તા ને નડતર રૂપી વૃક્ષ નું કટિંગ, રૂ જેવું પદાર્થ ઉડતા વાહન ચાલકો પરેશાન બન્યા, કામગીરી થી ટ્રાફિક જામ

ProudOfGujarat

ગોધરા : લક્ષ્મીનગર સોસાયટી પાસેના કોમન પ્લોટના ખાળકુવામાં પડી જતા આશાસ્પદ બાળકનું મોત, ખાળકુવા બનાવનાર માલિક સામે કાર્યવાહીની માંગ..

ProudOfGujarat

અંકલેશ્વરની ગજાનંદ સોસાયટી ખાતે આંક ફરકના આંકડાનો જુગાર રમાડતી મહિલા સહિત 3 ઈસમોની હજારોના મુદ્દામાલ સાથે ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!