Proud of Gujarat
FeaturedGujaratINDIA

જુનીયર કલાર્કની પરીક્ષા સહિત અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી વિદ્યાર્થી બેસાડવાના ગુનામાં 4 ઝડપાયા

Share

રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી સ્પર્ધાત્મક પરીક્ષા જુનીયર કલાર્કની કસોટીને લઈને ભાવનગર તથા બોટાદ જિલ્લાના ગામડાઓના 36 થી વધુ વિદ્યાર્થીઓએ ગેરરીતિ આચરી મૂળ વિદ્યાર્થીના સ્થાને ડમી વિદ્યાર્થીઓ બેસાડી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવતાં ભારે ચકચાર મચી જવા પામી હતી જેમાં પોલીસે 36 માંથી 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર રાજ્યમાં જુનીયર કલાર્કની પરીક્ષાને લઈને ઉદ્દભવેલ વિવિધ વિવાદો જાણે કોઈ પણ ભોગે શમવાનુ નામ જ ન લઈ રહ્યાં હોય તેમ એક બાદ એક અવનવા ફણગાઓ ફૂટવા સાથે પેપર લીક થવાની વાતથી લઈને ડમી વિદ્યાર્થી બેસાડી પરીક્ષા આપવા સુધીના કૌભાંડોએ સૌનુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે ત્યારે તાજેતરમાં આ પરીક્ષા સમગ્ર રાજ્યમાં જાંબાઝ આઈપીએસ અધિકારી અને ભાવનગરના પૂર્વ એસપી હસમુખ પટેલની રાહબરી હેઠળ યોજાઈ હતી જેમાં પરીક્ષા પૂર્વ વિદ્યાર્થી આગેવાનના નેતા એ ભાવનગર જિલ્લામાંથી ગેરરીતિ અંગે અધિકારીને અવગત કરાવ્યા હતાં જેમાં અતિ ગોપનીયતા સાથે પોલીસ તપાસ કરી રહી હતી, જેમાં બારીકાઈ પૂર્વકની તપાસમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામડાના તથા બોટાદ જિલ્લાના ગામડાઓના ઉમેદવારોએ મૂળ તળાજા તાલુકાના વતની અને કૌભાંડના મુખ્ય સૂત્રધ્ધાર શરદ ભાનુશંકર પનોત તથા પ્રકાશ ઉર્ફે પીકે કરશનભાઇ દવે એ વિદ્યાર્થીઓની હોલ ટીકીટો સાથે ટેકનોલોજીના ઉપયોગ થકી ચેડાં આચરી મૂળ વિદ્યાર્થીઓના સ્થાને ડમી વિદ્યાર્થીઓ બેસાડી રૂપિયાની કમાણી કરી કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું આથી પોલીસે 35 થી વધુ આરોપીઓ વિરુદ્ધ ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી ઉંડાણ પુર્વકની તપાસનો ધમધમાટ વેગવંતો કર્યો છે આ ઘટનાને પગલે પરીક્ષાનો મુદ્દો લોકમુખે અગ્રતમ ચર્ચાઓનો વિષય બન્યો છે.

Advertisement

આ અંગે ભાવનગર એસપી ડો.રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે 14 એપ્રિલના રોજ એલસીબી દ્વારા ગુપ્ત તપાસ થઈ રહી હતી. તે સંદર્ભમાં ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે 36 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે હાલ ચાર આરોપીની ધરપડ કરવામાં આવી છે વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

શરદકુમાર સ/ઓ ભાનુશંકર શાંતિભાઈ પનોત (ઉં.વ.34 રહે.તળાજા), પ્રકાશ ઉર્ફે પી.કે. કરસનભાઈ દવે (ઉ.વ.35 રહે.પીપરલા તળાજા), બળદેવ રમેશભાઈ રાઠોડ (ઉ.વ.29 રહે.ગામ દિહોર તળાજા) અને પ્રદીપ નંદલાલભાઈ બારૈયા (ઉ.વ.33 રહે.દેવગણા સિહોર) ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.


Share

Related posts

અંકલેશ્વરના- પુરુષોત્તમ બાગનો ફુવારો શોભાના ગાંઠીયા સમાન.તંત્ર ધ્યાન આપે તેવી લોકમાંગ…

ProudOfGujarat

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામમાં પૂરના પગલે એક યુવાનનું મોત નીપજ્યું.

ProudOfGujarat

ભરૂચ-કંથારીયા ગામ નજીક બાઇક અને મીની લકઝરી વચ્ચે અકસ્માત-૩ ના મોત અન્ય ૧ ઘાયલ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!