Proud of Gujarat
FeaturedGujaratINDIA

લઠ્ઠાકાંડ : ભાવનગરની હોસ્પિટલમાંથી 13 જેટલા દર્દી ગાયબ થઈ જતાં પોલીસ દોડતી થઈ.

Share

બરવાળા લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક 40 ને પાર થઈ ચૂક્યો છે. હજુય 70 થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે, તેમજ હોસ્પિટલમાં એડમિટ થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા 13 જેટલા દર્દી ડૉક્ટરને કહ્યા વિના જ ગાયબ થઈ જતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ દર્દીઓને શોધીને ફરી હોસ્પિટલ લાવવા માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે. પોલીસ કાર્યવાહીના ડરથી આ લોકો હોસ્પિટલમાંથી ભાગી ગયા હોવાની પણ ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે, ઝેરી દારુ પી જવાના કારણે બીમાર પડી ગયેલા 70 થી વધુ દર્દી હાલ ભાવનગરની સર ટી હોસ્પિટલ ઉપરાંત, અમદાવાદની સિવિલ તેમજ એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

આજ સવાર સુધીમાં અમદાવાદ સિવિલમાં 37 દર્દી સારવાર લઈ રહ્યા હતા, જેમાંથી ત્રણની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. ઝેરી દારુ પીવાથી સોમવાર રાતથી જ ઘણા દર્દીને સતત ઉલ્ટી થઈ રહી છે તેમજ તેમની તબિયત ગંભીર બની છે. ઘણા કિસ્સામાં તો પરિવારના એકમાત્ર કમાનારા વ્યક્તિનું મોત થયું છે અથવા તો હાલ તે હોસ્પિટલમાં દાખલ છે. હાલ 12 થી વધુ દર્દીની હાલત અતિગંભીર જણાવાઈ રહી છે. ઝેરી દારુ પીવાથી જે લોકોના મોત થયા છે, તેમજ જે લોકો હાલ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે તેમાંના મોટાભાગના લોકો સાવ ગરીબ ઘરના મજૂરો છે.

Advertisement

સોમવારે સાંજે બોટાદ અને અમદાવાદ જિલ્લાના ગામોમાં ઝેરી દારુ પીધા બાદ ટપોટપ લોકો બીમાર પડવા લાગ્યા હતા. ગણતરીના સમયમાં જ અહીં લઠ્ઠાકાંડ થયો હોવાની વાત ફેલાઈ ગઈ હતી. આજે લઠ્ઠાકાંડના ત્રીજા દિવસે પણ મોતનો તેમજ નવા દર્દીઓને દાખલ કરવાનો સિલસિલો નથી અટકી રહ્યો. જે ગામોમાં કેસ મળી આવ્યા છે ત્યાં હજુય એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. જેથી કોઈને જો ઝેરી દારુની અસર જણાય તો તેને તાત્કાલિક હોસ્પિટલ લાવી શકાય.


Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી ખાતે આજથી ટીવાય બીકોમ અને બીએની પરિક્ષા શરૂ થઈ.

ProudOfGujarat

ભરૂચના મહંમદ પુરા નજીક લાકડા ના ગોડાઉન માં ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશભાગ મચી હતી, ભરૂચ જિલ્લા માં ઉનાળા ની ઋતુ ની માંડ શરૂઆત થઈ છે ત્યાંજ તો આગ લાગવાના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે, જિલ્લા માં ઔધોગિક એકમો, લાકડા ના ગોડાઉનો સહિત વાહનો માં આગ જેવી ઘટના જાણે કે દિવસે ને દિવસે સામાન્ય બનતી જઈ રહી હોય તેમ લાગી રહ્યું છે,તેવામાં વધુ એક ઘટના સામે આવી હતી, ભરૂચ શહેર ના મહંમદ પુરા થી લીમડી ચોક તરફ જવાનાં માર્ગ પર આવેલ એક લાકડા ના ગોડાઉન માં આજે બપોર ના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સ્થાનિકો માં નાશ ભાગ મચી જવા પામી હતી, ગોડાઉન માં લાગેલ વીકરાળ આગ ની જવાળા ઓ અને ધુમાડા દૂર દૂર સુધી નજરે પડતા એક સમયે સ્થાનિકો ના જીવ ટાળવે ચોંટાયા હતા, ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લાશકરો લાય બંબા સાથે તાત્કાલિક ઘટના સ્થળે જવા માટે રવાના થયા હતા જે બાદ લાકડા માં લાગેલ ભીષણ આગ ઉપર પાણી નૉ મારો ચલાવી તેને કાબુ માં લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, પ્રાથમિક જાણકારી મુજબ લાકડા ના ગોડાઉન માં લાગેલ આગ માં કોઇ જાનહાની થવા પામી ન હતી જોકે લાકડા નૉ મોટો જથ્થો બળી ને ખાખ થઈ જતા ગોડાઉન સંચાલક ને મોટી નુકશાની નૉ અંદાજ લગાવાઈ રહ્યો છે,

ProudOfGujarat

ડેડીયાપાડાનાં પંચાયત હોલ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!