Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગરના ગારિયાધારમાં રખડતા ઢોરની સમસ્યાથી લોકો પરેશાન.

Share

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં નગરપાલિકા કેટલીક બાબતોને લઈને ચર્ચામાં આવતી હોય છે ત્યારે હાલમાં નગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં રખડતા ઢોરોના ત્રાસના કારણે લોકો હેરાન-પરેશાન થઇ ચુક્યા છે અને વારંવાર નગરપાલિકા તંત્ર પાસેથી આ બાબતે કોઈ ઉપાય કરવા માટે સૂચન માંગી રહ્યા છે. ત્યારે તંત્ર આ બાબતે ક્યાંકને ક્યાંક ચૂપ બેસી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. આથી આવનાર સમયમાં જો રખડતા ઢોરના ત્રાસના કારણે કોઈપણ વ્યક્તિને ગંભીર ઈજા થતા તેને જવાબદાર કોણ અને આવા ઢોરોના ત્રાસના કારણે ઘણીવાર ગારીયાધાર તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં લોકો અને ગંભીર હાનિ પહોંચતી જોઈ શકાય છે. ત્યારે હવે ચૂંટણી ટાઈમે વોટ માગવા આવતા દરેક ઉમેદવારને આ સમસ્યા હલ કરવા માટે કહેવામાં આવ્યું છે. આમ ગારિયાધારના અનેક સ્થાનો પર રખડતાં ઢોરોના ત્રાસના કારણે લોકોએ આવતા જતા આ ઢોરોના ત્રાસના કારણે સાવચેત રહેવું પડે છે કેમ કે ઘણી વખતે આવો બનાવ પણ સામે આવે છે જ્યારે રખડતા ઢોરના મારવાથી લોકોના અગત્યના અંગ સહિત ઘણી વખત લોકોની જાન પણ જતી હોય છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : કાકા બા હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

રાજપીપળા : ઝરવાણી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેથી ભારતીય બનાવટનાં દારૂ સાથે બે ઈસમોની અટકાયત કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : સીતપોણ ગામની સીમમાં આકાશી વીજ ત્રાટકતા 43 બકરાનાં મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!