Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતી મામલે યુવા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પૂતરા દહન કરવા જતાં સર્જાયું ઘર્ષણ.

Share

આજ રોજ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા બિન સચિવાલય પરીક્ષામાં થયેલ ગેરરીતી મામલે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં ઉતરી આવી સ્ટેશન સર્કલ નજીક ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથે જ સી.એમ વિજય રૂપાણીના પૂતળાનું દહન કરવા જતાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જયુ હતું. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી તેઓને પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા તો બીજી તરફ યુવા કોંગ્રેસના હોદ્દેદારોએ બિન સચિવાલયની પરીક્ષામાં થયેલ ગેરરીતિને સરકારની નિષ્ફળતા ગણાવી પરીક્ષા રદ કરવાની માંગ ઉચ્ચારી હતી.સમગ્ર કાર્યક્રમમાં ભરૂચ જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ, સકિલ અકુજી, યોગેશ પટેલ, સંજય વસાવા, સોયેબ ઝધડીયાવાળા, જ્યોતિબેન તડવી, જયેશ વસાવા, વિપુલ વસાવા વગેરે કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડીયાની પાંચ ગ્રામ પંચાયત દ્વારા ભારતીય સંવિધાનની પાંચમી અનુસૂચિ હેઠળની આદિજાતિ વિસ્તારનાંબોર્ડ મુકાયા.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના એક ગામે સગીરાને પટાવીને લગ્નની લાલચ આપી એક ઈસમ ભગાડી ગયો.

ProudOfGujarat

સરકારની આદિવાસી વિસ્તારોમાં આવેલી એકલવ્ય સ્કૂલના બાળકો અનેક સમસ્યાઓથી પીડિત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!