Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં તંત્ર નિષ્ક્રિય : ડેન્ગ્યુ અને ગંદકી સામે કોઈ પગલાં નહીં.

Share

હાલમાં ભરૂચ શહેર અને જીલ્લામાં ડેન્ગ્યુનો કહેર વર્તાય રહ્યો છે છતાં નિંદ્રાધીન તંત્ર કોઈ અસરકારક પગલાં લઈ રહ્યું નથી. ભરૂચ શહેરની આસપાસ ભોલાવ-નંદેલાવના સોસાયટી વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ હોવા છતાં આ વિસ્તારમાં ફોગીંગ શુદ્ધા કરવામાં નથી આવી રહ્યું. વળી ડેન્ગ્યુના ધણા કેસો હોવા છતાં આ વિસ્તારમાં તંત્ર દ્વારા કોઈ નકકર કાર્યવાહી હાથ ધરાતી નથી. સરકારમાંથી લાખો રૂપિયાની ગ્રાન્ટ ફળવાતી હોય છે તે છતાં આ વિસ્તારોમાં કયારેય આરોગ્ય વિભાગ દ્વારા કે અન્ય તંત્ર દ્વારા કોઈ સર્વે કે કેમ્પ કે અન્ય કોઈ કામગીરી હાથ ધરવામાં આવી હોય તેવું આ વિસ્તારની પ્રજાના ધ્યાનમાં આવ્યું નથી. તાજેતરમાં જ વરસાદની ઋતુ દરમ્યાન યોગ્ય સાફ-સફાઈ કે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો નથી જેથી મચ્છરો અને અન્ય રોગચાળા પ્રતિરોધક કોઈ નકકર પગલાં લેવાય તેમ આ વિસ્તારના લોકોની માંગ છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના મોરણ ગામે ગાળો બોલી ચીચીયારીઓ પાડવાનું ના કહેનાર ઇસમ પર હુમલો.

ProudOfGujarat

અંકલેશ્વર ના કાંસિયા -અમરત પુરા વિસ્તાર માં દેશી દારૂની ભઠ્ઠીઓ ફૂલી ફાટી, ખુલ્લેઆમ બુટલેગરો ના નાપાક કારનામા યથાવત..?

ProudOfGujarat

ભરૂચ ના ભોલાવ ભૃગુઋષિ બ્રિજ પાસે થી બાઇક લઇ પસાર થતા યુવાન ને પતંગ નો દોરો આવી જતા નાક અને ગાલ ના ભાગે ઈજાઓ પહોંચી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!