Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

વાલીયા એપીએમસી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ગણેશ સુગર પર આકરા પ્રહારો કરતા કોંગી આગેવાન સંદીપ માંગરોલા

Share

વાલીયા એપીએમસી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ગણેશ સુગર પર આકરા પ્રહારો કરતા કોંગી આગેવાન સંદીપ માંગરોલા

ભરૂચ જિલ્લાના વાલીયા ખાતે આવતીકાલે APMC કાર્યાલય નું ઉદઘાટન થવાનું છે તે સમયે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા એ એક નિવેદનમાં ગણેશ સુગર ફેક્ટરી ની સરકારની ઢીલી નીતિ રીતો વિષય આકરા પ્રહારો કર્યા છે.

Advertisement

ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં આવતીકાલે એપીએમસી કાર્યાલય નું ઉદઘાટનનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે આયોજન સમયે ભરૂચ જિલ્લાના કોંગ્રેસથી આગેવાન સંદીપ માંગરોળા એ ગણેશ સુગર પર આકરા પ્રહારો કરતા નૈતિક બાબતો અને જવાબદારીઓ અંગેની ચર્ચા કરવા એક પડકાર જનક નિવેદન આપ્યું છે. અત્રે નોંધનીય છે કે વાલિયા ખાતે એપીએમસી કાર્યાલયનો ઉદ્ઘાટન પ્રસંગ છે પરંતુ ગણેશ સુગર વિશે અનિવેદનમાં તેઓએ જણાવ્યું છે કે સરકાર દ્વારા કમિટીની રચના સભાસદો ના મંતવ્ય અનુસાર ચૂંટણીનું આયોજન કરી કરવી જોઈએ સરકારશ્રી દ્વારા પાછલા દરવાજેથી નબળી કામગીરી કરતા કસ્ટોડિયન કમિટીમાં બેસાડવામાં આવ્યા છે જેની નબળી નેતાગીરીના કારણે હાલ ગણેશ સુગરની હાલત અત્યંત ખરાબ છે ગણેશ સુગરનું ટર્નઓવર માત્ર સાત કે આઠ ટકાએ પહોંચ્યું છે પીલાણના ભાવ ખેડૂતોને મળતા નથી આજે ગણેશ સુગર ને નુકસાની વેચવાનો વારો આવ્યો છે તેના કારણોમાં કોઈ પૂર્વેના આગેવાનો જવાબદાર નથી આ સમગ્ર કામગીરી સરકારની ઢીલી નીતિના કારણે જોવા મળી છે ઉપરાંત ગણેશ સુગરમાં આગામી સમયમાં સભાસદો દ્વારા ચૂંટણીનું આયોજન કરવામાં આવે અને ચૂંટણી દરમિયાન ગણેશ સુગરના ચેરમેનની નિમણૂક થઈ તે સહિતની માંગ આ નિવેદનમાં કોંગી આગેવાન સંદીપભાઈ માંગરોલાએ કરી છે.


Share

Related posts

અમદાવાદ : ઇન્દિરાબ્રિજ પાસે એક્ટિવા સ્લીપ થતા 16 વર્ષીય વિદ્યાર્થીનું મોત.

ProudOfGujarat

હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રજાની લાગણી અને માંગણીને વાંચા આપવા પ્રદેશ પ્રમુખ આદરણીય અમિત ચાવડાની સૂચના અનુસાર હાંસોટ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ શહેર બુસા સોસાયટીમાં હોળી-ધુળેટી તહેવાર સમયે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઉકેલી નાખ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!