Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

પ્રાણીઓ માટે જીવનદાતા બનતું બ્લડ ડોનેશન: રક્તદાન થકી શ્વાનનું અમૂલ્ય જીવન બચાવતા ડો. કૃણાલ

Share

પ્રાણીઓ માટે જીવનદાતા બનતું બ્લડ ડોનેશન: રક્તદાન થકી શ્વાનનું અમૂલ્ય જીવન બચાવતા ડો. કૃણાલ

ભરૂચમાં પાલતુ પ્રાણીઓ પ્રત્યે સેવાભાવી ડોક્ટર દ્વારા એક શ્વાનને ગંભીર સ્થિતિમાંથી બ્લડ ડોનેશન દ્વારા નવું જીવન અર્પણ કર્યું છે, આ સમગ્ર ઘટના પેટ ક્લિનિકમાં લાવવામાં આવેલા એક શ્વાનની ડો. કુણાલ લેવા એ જણાવી છે.

Advertisement

પેટ ક્લિનિકના ડોક્ટરે જણાવ્યું કે અમારા ક્લિનિકમાં એક પાલતુ શ્વાનને ગંભીર સ્થિતિમાં લાવવામાં આવ્યો હતો. આ બીમારીને ગંભીર એનીમિયા કહી શકાય છે , ગંભીર સ્થિતિમાં અહીં આવેલા પેટની તબિયત એકાએક બગડી હતી તેને તાત્કાલિક રક્ત સંચારની આવશ્યકતા હતી, આથી ડો. કૃણાલ અને ડો. હિમાલી તુરંત જ અન્ય સ્વસ્થ શ્વાનનું રક્ત મેળવી શ્વાનને તેમનું બ્લડ ડોનેટ કર્યું હતું. બ્લડ ટ્રાન્સફર થતાની સાથે જ દર્દીસ્વાનની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો, આ સમગ્ર કામગીરી ડો. કૃણાલ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી, દર્દી સ્વાનની બોડીમાં રક્ત સંચાર થતા ની સાથે જ ધીમે ધીમે તેની તબિયત સુધરી અને તેનું હિમોગ્લોબીન નું લેવલ વધી ગયું હતું અમુક કલાકોની સુચારું જાળવણી બાદ તે સંપૂર્ણ સ્વસ્થ થઈ હાલ તેનું હિમોગ્લોબીન 8% પર પહોંચી ચૂક્યું છે અને આજે તે સંપૂર્ણ સ્વસ્થ અને નોર્મલ જીવન જીવી રહ્યું છે.

આ સમગ્ર ઘટના એ સાબિત કર્યું છે, કે રક્તદાન માત્ર માનવજાત માટે જ નહીં પરંતુ પ્રાણીઓ માટે પણ જીવનદાન બની શકે છે , જીવ દયા પ્રેમીઓનું કહેવું છે, કે આપણે મળીને આ રીતે કામ કરીએ તો અબોલ- મૂંગા પ્રાણીઓ માટે પણ ઉત્તમ આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરી શકાય છે, અહીં સમગ્ર કામગીરી ડો. કૃણાલ અને ડો. હિમાલી એ કરી હતી, આ પ્રકારનો કિસ્સો પ્રથમ વખત પ્રકાશમાં આવ્યો છે , સમગ્ર કામગીરી પેટ ક્લિનિકમાં કરવામાં આવી હતી, અને શ્વાનને સંપૂર્ણ સ્વસ્થ બનાવવામાં આવ્યું હતું, કામગીરી થી જીવદયા પ્રેમીઓમાં પણ ઉત્સાહ ની લાગણી પ્રસરી જવા પામી હતી.


Share

Related posts

ઝઘડીયા તાલુકાના પિપદરા ગામે નવી વસાહતમાં આર.સી.સી રોડ બનાવવા ગ્રામજનોની માંગ.

ProudOfGujarat

દાંડી થી સાબરમતી આશ્રમ સુધીની રિવર્સ દાંડી યાત્રી ભરૂચ ખાતે આવ્યા…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં ફરી એકવાર પલ્ટો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!