Proud of Gujarat
GujaratFeaturedINDIA

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન દ્વારા પુરગ્રસ્તો ને સહાય વિતરણ કરાઈ

Share

ભરૂચ જિલ્લામાં અવિરત ભારે વરસાદ ના કારણે નર્મદા નદીના કિનારાના વિસ્તારમાં પાણી ભરાઇ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું હતું અને પુરના કારણે લોકોની જીવન જરૂરીયાત ની ચીજવસ્તુઓ તથા ખાવા પીવાની વસ્તુઓ ને ભારે નુકસાન થવા પામ્યુ હતું. જયારે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોના લોકો ઘર વિહોણા બન્યા છે. ઘરવખરી તણાઈ ગઈ. ઘરમાં પાણી ઘુસી જતા અનાજ બગડયું હોવાથી ખોરાક પુરતા પ્રમાણમાં ન મળતા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચના સભ્યો દ્વારા રાહત કાર્ય થઈ રહ્યું છે. ફુડ પેકેટ, કપડા, સહિતની સામગ્રી અસરગ્રસ્તોને પહોંચાડવામાં આવી ર છે.ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા સાથે સેવાભાવી નાગરિકો દ્વારા સ્થિતિને કાબુમાં લેવાના પ્રયત્નરૂપે કપડાં તથા સાધન સામગ્રીની સહાય પહોંચાડાઈ છે.

Advertisement

Share

Related posts

1 ઓકટોબરથી બદલાઇ જશે ક્રિકેટના આ નિયમ, ICC એ કરી જાહેરાત…

ProudOfGujarat

કોંગ્રેસ આયોજિત ગાંધી સંદેશ યાત્રાનું પાલેજ માં ભવ્ય સ્વાગત

ProudOfGujarat

નડિયાદમાં પૂર્વ સી.એમ એ ૧૯૪ તપસ્વીઓને પારણા કરાવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!