Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

માંગરોળ તાલુકામાં જન્મ મહોત્સવ નિમિત્તે કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા મટકી ફોડના કાર્યક્રમો યોજાયા અને શોભાયાત્રા કાઢવામાં આવી

Share

માંગરોળ તાલુકામાં જન્મ મહોત્સવ નિમિત્તે કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા મટકી ફોડના કાર્યક્રમો યોજાયા અને શોભાયાત્રા કાઢવામાં આવી

માંગરોળ તાલુકાના વાંકલ, ઝંખવાવ, મોસાલી વિસ્તારોમાં કૃષણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી

Advertisement

માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં કૃષ્ણ ભગવાન જન્મ નિમિતે અષ્ટમીના દિવસે વાંકલ મેઈન બજારમાં આવેલ સત્ય નારાયણ મંદિર પરિસર ભજન કીર્તન સાથે વિવિધ પ્લોટોમાં ગોકુળિયાને લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું હતું. અંબાજી માતાજી ના પટાંગણ માં કૃષ્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સ્ટેશન વિસ્તારમાં આવેલ સાઈ મંદિર ખાતે પણ વિવિધ આયોજન સાથે મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વાંકલ અંબાજી મંદિરથી શોભાયાત્રા યાત્રા મુક્તાનંદ પાર્ક, બજેટ ફળિયું, બજાર વિસ્તાર, સ્ટેશન વિસ્તાર થઈ સ્નેહલ પાર્ક, ગુલાબ પાર્ક સુધી ડી.જે ના તાલે ઝૂમી ઊઠ્યા હતા.જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખીના નાદ થી ગુંજી ઉઠી કૃષ્ણમય વાતાવરણ બન્યું હતું. મોસાલી અને ઝંખવાવ ખાતે પણ મટકી ફોડના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.


Share

Related posts

નડિયાદ : રેલવે યુનિયન દ્વારા ઓપીએસ લાગુ કરવા મૌન રેલીનુ આયોજન કરાયું.

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લામાં સાંસદે દત્તક લીધેલા થોરીયાળી આદર્શ ગામે એસટી બસની અસુવિધા મામલે વિદ્યાર્થીઓ પરેશાન

ProudOfGujarat

લીંબડીની 31 હાઈસ્કૂલ ખાતે આજે 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓનુ રસીકરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!