Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના જસાપર ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન

Share

જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના જસાપર ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન

જામનગરમાં જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાના જોડીયા દ્વારા જસાપર ગામે પશુ આરોગ્ય મેળા (PAM) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જસાપર ગામના 24 પશુપાલક લાભાર્થીઓના 197 પશુઓને મેડીસીન, ગાયનેક, સર્જરી અને ખસીકરણની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. તેમજ પશુપાલકોને કૃમિનાશક દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

પશુચિકિત્સા અધિકારી ડો.કે.એન.ખીમાણીયા અને ડો.સી.એસ.પટેલીયા દ્વારા જસાપર ગામના પશુપાલક લાભાર્થીઓને પશુપાલન વિભાગ, રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ અને આગામી માસમાં યોજાનાર 21 મી પશુધન વસ્તી ગણતરીના આયોજન વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ જામનગર જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની કામગીરી અને પ્રાણી ક્રૂરતા રોકવા અંગેના કાયદા વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમ નાયબ પશુપાલક નિયામક ડો.તેજસ શુક્લ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Share

Related posts

ભરૂચ : જંબુસર ટાઉન રેલ્વે ફાટક પાસે આવેલ અજમેરી નગરીમાંથી જુગાર રમતાં 12 જુગારીઓને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

સુજલામ સુફલામ જળ યોજના અંર્તગત જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વર નિલકંઠ મંદિરે પરિક્રમાવાસીઓને વિવિધ વસ્તુઓની નિ:શુલ્ક જરૂરિયાત પૂરી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!