Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

તા.૯મી ઓગષ્ટ ‘ વિશ્વ આદિવાસી દિવસ’ની સુરત જિલ્લાના ત્રણ તાલુકાઓમાં ભવ્ય ઉજવણી કરાશે

Share

તા.૯મી ઓગષ્ટ ‘ વિશ્વ આદિવાસી દિવસ’ની સુરત જિલ્લાના ત્રણ તાલુકાઓમાં ભવ્ય ઉજવણી કરાશે
—–
સુરતના માંડવી,ઉમરપાડા અને મહુવા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે
———
નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉમરપાડા ખાતે અને આદિજાતિ વિકાસ મંત્રી માંડવી ખાતે આદિવાસી દિવસની ઉજવણીમાં સહભાગી થશે
——-
વાંકલ :- વિશ્વમાં વસતા આદિવાસી ભાઈ બહેનોના સન્માન માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુનો)એ તા.૯મી ઓગસ્ટને ‘વિશ્વ આદિવાસી દિન’ ઘોષિત કર્યો છે, જેના ભાગરૂપે દેશભરમાં સમગ્ર સુરત જિલ્લામાં પણ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી ધૂમધામથી કરવામાં આવશે. સુરતના માંડવી,ઉમરપાડા અને મહુવા ખાતે તા.૯ મીએ સવારે ૧૦.૦૦ વાગ્યે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની સાથોસાથ વિવિધ યોજનામાં લાભાર્થીઓને યોજનાકીય સહાય વિતરણ કરાશે. આ અવસરે મુખ્યમંત્રીના રાજયકક્ષાના કાર્યક્રમનું જીવત પ્રસારણ થશે.

સુરત જિલ્લામાં ઉમરપાડા તાલુકામાં મેઈન બજાર ખાતે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ તથા ધારાસભ્ય ગણપતભાઇ વસાવા, માંડવી તાપી રીવરફ્રન્ટ ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ અને મહુવા તાલુકાના વડવાડા ગામે તુલશી કોમ્પલેક્ષ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ તથા ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયત ઉપસ્થિત રહેશે. આ અવસરે મહાનુભાવોના હસ્તે અનેકવિધ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. આ ઉજવણીમાં સર્વે લોકોએ બહોળી સંખ્યામાં ભાગ લેવાનો માંડવીના પ્રાયોજના વહીવટદાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જી.એફ.એલ આગ દુર્ઘટનાનાં ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી.

ProudOfGujarat

ભરૂચ : ડૉ.બાબા સાહેબ આંબેડકર યુવા ઉત્થાન સમિતિ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક, સ્કુલ બેગ અને યુનિફોર્મનું વિતરણ કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વરમાં જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ રોયલ પેલેસ હોટેલ ના મેનેજરની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!