Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વરના સરદાર ભવન ખાતે આવતીકાલે મહારક્તદાન કેમ્પ યોજાશે

Share

અંકલેશ્વરના સરદાર ભવન ખાતે આવતીકાલે મહારક્તદાન કેમ્પ યોજાશે

અંકલેશ્વરના પટેલ સેવા સમાજ ખાતે આવતીકાલે આઇડેલ ગ્રુપ દ્વારા વિઠ્ઠલભાઈ રાદડિયા ની પુણ્યતિથિ નિમિત્તે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ની ઉપસ્થિતિમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

અંકલેશ્વરમાં શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તથા આઇડિયલ લાઇટિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આવતીકાલે તારીખ 28/ 7/ 2024 ને રવિવારે બપોરે 3:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી સરદાર ભવન શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ જીઆઇડીસી અંકલેશ્વર ખાતે ગૌ.વા. વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડિયા ની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, આ બ્લડ ડોનેશન કેમ્પમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા વિશેષ ઉપસ્થિત રહેશે આથી સર્વે અંકલેશ્વર વિસ્તારના રહેવાસીઓને બહોળા પ્રમાણમાં આ મહારક્તદાન કેમ્પમાં સહભાગી થઈ સમસ્ત પરિવાર તથા મિત્ર મંડળ સહિત ઉપસ્થિત રહેવા માટે આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


Share

Related posts

અરવલ્લીના વસાયા ગામ નજીકથી રિક્ષામાંથી 60 હજારનો વિદેશી દારૂ ઝડપાયો

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આજે 5 કોરોનાનાં કેસ આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી.

ProudOfGujarat

ભરૂચ : ચોમાસામાં ખાડાના સામ્રાજ્યથી ભારે મુશ્કેલી : નંદેલાવ બ્રિજ પર મસમોટા ખાડા પડવાથી સળિયા દેખાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!