Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચના CHC/ PHC માં તાત્કાલિક અસરથી ચાંદીપુરા વાયરસની લેબ શરૂ કરવા કોંગ્રેસ આગેવાન સંદીપ માંગરોલા ની મુખ્યમંત્રી સમક્ષ માંગ

Share

*ભરૂચના CHC/ PHC માં તાત્કાલિક અસરથી ચાંદીપુરા વાયરસની લેબ શરૂ કરવા કોંગ્રેસ આગેવાન સંદીપ માંગરોલા ની મુખ્યમંત્રી સમક્ષ માંગ*

સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ ચાંદીપુરા વાયરસ તેમજ પાણીજન્ય રોગ વધુ પડતા ફેલાઈ રહ્યા છે, જે વિષય પર યોગ્ય અભ્યાસ કરી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપભાઈ માંગરોલાએ વિસ્તૃત લેખિત પત્ર પાઠવ્યો છે , આ લેખિત પત્રમાં તેઓએ તકેદારીના ભાગરૂપે કેવા પગલાં ભરવા જોઈએ તે સહિતની બાબતોનું વર્ણન કર્યું છે.

Advertisement

સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે, કુદકે ને ભુસકે ચાંદીપુરા વાયરસ તથા પાણીજન્ય રોગચાળો સમગ્ર ગુજરાતમાં ફેલાઈ રહ્યો છે, ભરૂચના સક્રિય કોંગી આગેવાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપભાઈ માંગરોલાએ મુખ્યમંત્રીને એક આવેદનપત્ર દ્વારા જણાવ્યું છે, કે સમગ્ર ગુજરાતમાં હાલ ચંદીપુરા વાયરસના કેસ વધી રહ્યા છે ચાંદીપુરા વાયરસ ના કારણે ગુજરાતમાં 36 બાળકો વૃદ્ધોના મૃત્યુ નોંધાઈ ચૂક્યા છે, તેમજ 88 બાળકો વૃદ્ધો ચાંદીપુરા વાયરસગ્રસ્ત પોઝીટીવ દર્દીઓ જોવા મળ્યા છે, ભરૂચ જિલ્લાના તાલુકા નેત્રંગ, વાલીયા, ઝગડીયા, સહિતના વિસ્તારો સલમ વિસ્તારો છે, આ વિસ્તારમાં પાણીજન્ય રોગ વધુ પડતો જોવા મળે છે, દક્ષિણ ગુજરાતમાં હાલ અતિવૃષ્ટિના કારણે ઠેર ઠેર પાણીનો ભરાવો જોવા મળે છે સરકાર ને આ તાકીદ ની અપીલ કરવામાં આવે છે કે તાત્કાલિક અસરથી આદિવાસી તેમજ સલ્મ વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હોય ત્યાં તાત્કાલિક અસરથી સાફ-સફાઈ કરી આપવા રજૂઆત છે, શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર દવાનો છંટકાવ અત્યંત જરૂરી છે, વધુમાં તેઓએ જણાવ્યું છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની ભરૂચ જિલ્લાની સરકારી શાળાઓ , આંગણવાડી કેન્દ્રો સહિતની જગ્યા ઉપર તાત્કાલિક ધોરણે સાફ-સફાઈ કરી દવાનો છંટકાવ કરવો અત્યંત જરૂરી છે, ચાંદીપુરા વાયરસ બાળકોમાં વધુ પડતો જોવા મળે છે, વૃદ્ધો પણ આ વાઇરસથી પોઝિટિવ આવ્યા ના કેસો અસ્તિત્વમાં આવ્યા છે , આથી ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા તાત્કાલિક અસરથી તેની તપાસ કરવી અત્યંત જરૂરી છે, પરંતુ હાલ સરકાર પાસે સીએચસી/ પીએસસી કેન્દ્ર પર ચાંદીપુરા વાયરસ ના નમુના લેવાની પ્રક્રિયા કે લેબ હાલ કોઈપણ જિલ્લા મથકોમાં ઉપલબ્ધ નથી આથી ચાંદીપુરા વાયરસ ના લક્ષણો જણાતા તમામ દર્દીઓને સેમ્પલ લઈ અન્ય જગ્યા ઉપર મોકલવા પડે છે જેથી દર્દીઓને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે, ચાંદીપુરા વાયરસમાં પોઝિટિવ કેસ આવ્યા બાદ 72 કલાકની અંદર બાળકોના ટપોટપ મૃત્યુ થઈ જાય છે, આથી આપ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને અમો જિલ્લા મથકોમાં તેમજ સીએચસી/ પીએચસી કેન્દ્રોમાં ચાંદીપુરા વાયરસ ની લેબ શરૂ કરવામાં આવે તેમજ ચાંદીપુરા વાયરસ નો વધુ પડતો ફેલાવો થતો હોય તે અટકાવવા માટે રજૂઆત છે.


Share

Related posts

ભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી…

ProudOfGujarat

જામનગર રોજગાર કચેરીના તાલીમ વર્ગ થકી 7 યુવકો સંરક્ષણ દળમાં જોડાયા

ProudOfGujarat

વડોદરા નજીક સિંધરોટ ગામ પાસે ઝાડીઓમાં ત્રણ સર્પો પ્રણય ક્રિડા કરતા લોકોમાં કુતૂહલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!