Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ટંકારીયા સ્થિત સેવાભાવી સંસ્થા મોહસીને આઝમ મિશન બ્રાન્ચ દ્વારા આશુરા પર્વ નિમિત્તે દર્દીઓને ફળ વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

ટંકારીયા સ્થિત સેવાભાવી સંસ્થા મોહસીને આઝમ મિશન બ્રાન્ચ દ્વારા આશુરા પર્વ નિમિત્તે દર્દીઓને ફળ વિતરણ કરવામાં આવ્યું હતું…

મુસ્લિમ સમુદાયના પવિત્ર પર્વ નિમિત્તે ભરૂચના ટંકારીયા સ્થિત સેવાભાવી અને સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલી મોહસીને આઝમ મિશન બ્રાન્ચ દ્વારા પાલેજ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ વલણ સ્થિત વલણ સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને ફળ વિતરણ કરવામાં આવ્યું હતું. આશુરા પર્વ એ મુસ્લિમ સમુદાયના લોકો માટે એક અતિ મહત્વ ધરાવતું પર્વ છે. કરબલાના શહીદોની સ્મૃતિમાં દર વર્ષે પરંપરાગત રીતે આશુરા પર્વની મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવે છે. આ પવિત્ર દિવસે સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા જરૂરતમંદોને મદદરૂપ બની એક સરાહનીય કાર્ય કરવામાં આવે છે. જે અંતર્ગત ટંકારીયા સ્થિત સેવાભાવી સંસ્થા દ્વારા પાલેજ તેમજ વલણ સ્થિત હોસ્પિટલમાં દર્દીઓને ફળ વિતરણ કરી એક સુંદર સરાહનીય કાર્ય કરી અન્ય સંસ્થાઓ માટે પ્રેરણાદાયી પુરવાર બનવા પામ્યા છે.

Advertisement

Share

Related posts

ગાંધીનગર મનપામાં ભાજપનો ભગવો લહેરાયો : AAP એ કોંગ્રેસના મતમાં પાડ્યું ગાબડું.

ProudOfGujarat

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે જાણો જિલ્લામાં અને તાલુકા તેમજ નગરપાલિકામાં અત્યાર સુધી કેટલા ઉમેદવારી પત્રો ભરાયા..!

ProudOfGujarat

નડિયાદમાં માત્ર 3 કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!