Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

બુલેટ ટ્રેન વિભાગ દ્વારા આમલાખાડી માં અડચણ રૂપ માટી પુરાણ અને પાઈપો નાખી બનાવેલ નાળા ને દુર કરવાની માંગ, અવરોધ દુર નહિ થાય તો મોટી હાલાકી ની શક્યતા.*

Share

*બુલેટ ટ્રેન વિભાગ દ્વારા આમલાખાડી માં અડચણ રૂપ માટી પુરાણ અને પાઈપો નાખી બનાવેલ નાળા ને દુર કરવાની માંગ, અવરોધ દુર નહિ થાય તો મોટી હાલાકી ની શક્યતા.*

*સ્થાનિકો અને સામાજિક સંગઠનો દ્વારા અગાઉ થયેલ ઉચ્ચસ્તરીય રજૂઆત બાદ પણ કાર્યવાહી ના થતા અસંતોષ, અને અવરોધ દુર નહિ થાય તો મોટી હાલાકી ની શક્યતા વ્યક્ત કરાઈ, નુકશાની ની જવાબદારી કોણ સ્વીકારશે?*

Advertisement

અંકલેશ્વર
૨૮/૦૬/૨૪

પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમભાઈ પટેલે જણાવ્યું છે કે અંકલેશ્વર તાલુકા અને અંકલેશ્વર શહેર હદ વિસ્તાર પાસે થી પસાર થતી આમલાખાડી ની કેહવાતી પ્રી-મોન્સુન ની કામગીરી પૂર્ણ થઇ છે, કડકિયા કોલેજ પાસે પસાર થતી ખાડી માં બુલેટ ટ્રેન વિભાગ દ્વારા ખાડી માં અડચણ રૂપ ગેરકાયદેસર ના પાઈપો નાખી બનાવેલ નાળા ને અગાઉ લેખિત રજૂઆત બાદ પણ હાલ સુધી દુર કરવામાં આવ્યો નથી, તેમજ આમલાખાડી હાંસોટ બ્રીજ ના નીચે પણ બુલેટ ટ્રેન વિભાગ દ્વારા ખાડી માજ મોટા પ્રમાણ માં માટી પુરાણ કરવામાં આવ્યું છે જેથી પાણી નો વહન રોકાશે, અને પીરામણ ગામ અને અંકલેશ્વર શહેર માં ખાડી ઓવરફલો થવાથી પુર આવવા ની શક્યતા રહેલી છે, અને આવું થાય તો કોણ જવાબદારી સ્વીકારશે?
આ કામગીરી પ્રી-મોન્સુન કામગીરી માં થઇ જવી જોઈએ જે લેખિત રજૂઆત બાદ પણ થઈ નથી, ખાડી માં મોટા પ્રમાણ માં અડચણ રૂપ માટી, પથ્થરો અને ઘાસ નજરે દેખાય છે, જેથી કેહવાતી સરકારી પ્રિ-મોન્સુન કામગીરી સામે શંકા પેદા થાય છે


Share

Related posts

અંકલેશ્વરના જનતા નગરની પુષ્પવાટીકા સોસાયટીના મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા,લાખોના મુદ્દામાલ સાથે ૧૯ ઝડપાયા.

ProudOfGujarat

લીંબડીના એ.ડી.જાની રોડ પરની હૉસ્પિટલો કે અન્ય કોઈ દ્વારા રસ્તા ઉપર જ મેડિકલ વેસ્ટ નાખી દેતા સ્થાનિક રહીશોમાં રોષ.

ProudOfGujarat

બધાંરણ ના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકર ની ૧૨૭ મી જન્મ જયંતિ નિમિતે શ્રધાંજલી કાર્યક્રમો યોજાયા હતા …જેમાં રાજકીય પક્ષો તથા દલિત સંગઠનો એ સ્ટેશન સ્થિત ડો બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા …….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!