Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ તાલુકા પોલીસે મનુબર તથા વરડીયા ગામે થી 17 ગૌવંશને બચાવી 4 આરોપીઓને ઝડપી પાડ્યા

Share

ભરૂચના તાલુકામાં તાજેતરમાં ઇદ નો તહેવાર નજીક હોય જે અનુસંધાને પોલીસ મહા નિરીક્ષકની સૂચના અનુસાર ગૌ માસ તથા ગૌવંશની હેરાફેરી ની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે નાયબ પોલીસ અધિક્ષક ની સૂચના અનુસાર ગૌમાસની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે અને કાયદાનો કડક અમલ કરાવવા માટે જુદી જુદી પોલીસ ટુકડીઓ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે દયાદરા ગામે છે તથા પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વરડીયા ગામે ગૌ માસનો જથ્થા સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર તાજેતરમાં બકરી ઈદ નો તહેવાર આવનાર હોય જે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ની સૂચના અનુસાર નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તાલુકાના તમામ પોલીસ સ્ટેશનને સૂચન આપવામાં આવેલ હોય કે ગૌ માસ ને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ને અટકાવવા અને કાયદાનો કડક અમલ કરવા માટે જુદી જુદી ટુકડીઓને પેટ્રોલિંગમાં મોકલેલ હોય ભરૂચ તાલુકા પોલીસ ની ટુકડી ને તે દરમિયાન બાતમી મળેલ હોય કે દયાદરા ગામે પ્રેમનગરી ફળિયુમાં રહેતા ઉસ્માન દાઉદ ભાઈજી તેની ઘરની બાજુની ઓરડીમાં ગેરકાયદેસર રીતે ઓરડામાં ગાય ભેંસ ને બાંધી રાખવામાં આવેલ હોય જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે પંચો રૂબરૂ તપાસ કરતા રેડ પાડતા, કુલ ચાર ગાયોને કૃતા પૂર્વક બિનઅધિકૃત રીતે કતલ કરવાના ઈરાદે રાખવામાં આવેલ હોય જે જાણવા મળતા પોલીસે કુલ રૂપિયા 32 હજારના ગાય વાછરડા ને છોડાવી લઈ પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા છે. તથા આરોપી યુનુસ મહમદ પટેલ અને ઉસ્માન દાઉદ ભાઈજી ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

તેમજ અન્ય એક બનાવમાં પાલેજ પોલીસે બાતમીના આધારે મનુબર ગામ ગરમીયા વાગામાં તબેલા ની પાછળ પોલીસે બાતમીના આધારે રેડ કરતા ક્રૂરતાપૂર્વક ગાય તથા નાના વાછરડાઓને કુલ આઠ ગૌવંશને ખીચો ખીચ બાંધીને રાખવામાં આવેલ હોય જેથી પોલીસે કુલ રૂપિયા 47000 ના ગાય વાછરડાઓને છોડાવી લઈ પાંજરાપોળ ખાતે મોકલી આપેલ હોય ,આરોપી સલમા દિલાવર પટેલ દિલાવર દાઉદ પટેલ ને ઝડપી લઇ કૃરતા અધિનિયમ મુજબ ની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ઉપરોક્ત બંને કેસમાં પોલીસે કુલ ચાર આરોપીઓને અટકાયત કરી કિંમત રૂપિયા 79000 ગાય વાછરડાને મુક્ત કરી પાંજરાપોળ ખાતે 17 ગોવંશ ને બચાવી મોકલી આપ્યા છે.


Share

Related posts

ભરૂચના પાલેજ ખાતે ઇદે મિલાદ પ્રસંગે મક્કા મસ્જિદના ખતિબો ઇમામ મૌલાના મોહમ્મદ અશરફીના બયાનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

તારીખ 8મીની વહેલી સવાર દરમ્યાન  અજાણ્યા ઈસમેં જનરામ મુન્શી પર તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. 

ProudOfGujarat

કંસાઇ નેરોલેક પેઇન્ટ્સ લિમીટેડ, સાયખા દ્વારા વાગરા ગામમાં સિલાઈ તાલીમ વર્ગનું ઉદ્દઘાટન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!