Proud of Gujarat
FeaturedGujaratINDIA

શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ વિદેશી પક્ષીઓનું ભરૂચમાં આગમન

Share

સમગ્ર જીવન સૃષ્ટિમા જીવન ટકાવી રાખવા વાતાવરણ મહત્વનો ભાગ ભજવતું હોય છે, એ પછી માનવ જાત હોય કે પશુ-પક્ષી. ડિસેમ્બર મહિનામાં કેટલાક દેશોમાં હિમવર્ષા ખુબ થતી હોય છે. માનવજાત પોતાના બચાવ માટે પોતાને અનુકૂળ વાતાવરણમાં જઈ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખતા હોય છે. તે જ રીતે શિયાળાની ઋતુમાં કેટલાક વિદેશી પક્ષીઓ ગુજરાતમાં આવતા હોય છે. ગુજરાતના ઘણા બધા નદી સરોવર તટ પર આવા વિદેશી પક્ષી આ સમયે એટલે કે શિયાળાની ઋતુની શરૂઆતમાં દેખા દેતા હોય છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચનાં ગોલ્ડન બ્રિજની આસપાસ કેટલાક વિદેશી પક્ષીઓ નજરે પડતા પક્ષીવિદોમાં કુતૂહલ સર્જાયું હતું. કહેવાઈ છે કે કેટલાક વિદેશી પક્ષીઓ સમુદ્ર ઊપરથી સતત એકધારા ઉડી હજારો કિલોમીટરનું અંતર કાપી ગુજરાત આવતા હોય છે. આ પક્ષીઓ પાસે કોઈ જીપીઆર સિસ્ટમ નથી કે કોઈ ચોક્કસ પર્યાપ્ત આધુનિક ઉપકરણો નથી છતા દર વર્ષે હજારો કિલોમીટર કાપી પોતાના ગંતવ્ય સ્થાન પર સમયસર પહોંચી જતાં હોય છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર ખાતે ચોમાસા ના માહોલ દરમિયાન ગંદકી અને કાદવ કીચડ ના સામ્રાજ્ય થી કંટાળેલા સ્થાનિક રહીશોએ પાલિકા પ્રમુખ ને રજુઆત કરી હતી……..

ProudOfGujarat

હવે રાત્રે 12 વાગ્યે પોલીસ નહીં કરાવે ગરબા બંધ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ પોલીસને આપી સૂચના

ProudOfGujarat

ભરૂચ ના થામ ગામ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માત માં એક વ્યક્તિ નું મોત…જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!