Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના શુકલતીર્થના ભાતીગળ મેળામાં વાવાઝોડા અને વરસાદમાં બેટ ઉપર ફસાયેલા 25 લોકોનું કરાયુ રેસ્ક્યુ

Share

વાવાઝોડા સાથે કમોસમી વરસાદના કારણે 25 લોકો શુક્લતીર્થના ભાતીગળ મેળામાં ફસાઈ જતા રેસ્ક્યુ કરાયા હતા. મેળામાં મ્હાલવા શુકલતીર્થ બેટ પર અંદાજિત ૨૪૦ જેટલા લોકો તંબુ બાંધી રહ્યા હતા. વાતાવરણમાં અચાનક પલટો થવાને કારણે ભારે વરસાદ અને પવનને લોકોમાં ભય ફેલાયો હતો.

ભરૂચ વાવાઝોડા સાથે કમોસમી વરસાદના કારણે 25 લોકો શુક્લતીર્થના ભાતીગળ મેળામાં ફસાઈ જતા રેસ્ક્યુ કરાયા હતા. મેળામાં મ્હાલવા શુકલતીર્થ બેટ પર અંદાજિત ૨૪૦ જેટલા લોકો તંબુ બાંધી રહ્યા હતા. વાતાવરણમાં અચાનક પલટો થવાને કારણે ભારે વરસાદ અને પવનને લોકોમાં ભય ફેલાયો હતો.

ધારાસભ્ય અરૂણસિંહ રાણાને મદદ માટે લોકો કોલ કરતા ફાયર બ્રિગેડ રવાના કરાયું હતું. ભરૂચ ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક બોટ મારફતે 25 જેટલા લોકોને ત્યાંથી સ્થળાંતર કરાવ્યું હતું આ લોકો બેટ ઉપર તંબુ બાંધી રહ્યા હતા. ૫ દિવસનાં મેળા દરમિયાન તંબુ બાંધી ઘણા લોકો ત્યાં રહે છે. અચાનક વાવાઝોડું અને વરસાદ આવતા લોકોમાં ભય ફેલાયો હતો.

Advertisement

તંબુની આસપાસ પાણી ભરવા લાગતા તંત્ર પાસે મદદ માંગવામાં આવી હતી. પોલીસ સબ ઇન્સ્પેકટર કિરણ ચૌધરીએ ટિમ સાથે નગરપાલિકાની મદદથી રેસ્ક્યુ કરી ફસાયેલા ૨૫ લોકોને સલામત કિનારે ખસેડ્યા હતા.


Share

Related posts

વલસાડમાં સંજુ ફિલ્મને ઝબરો પ્રતિસાદ ,વલસાડ કો સંજુ પસંદ હે….સીનેપાર્કમાં દર્શકોની ભારેભીડ શો ફુલ

ProudOfGujarat

ભરૂચમાં રખડતા ઢોર પકડવાનો કોઈ ઉપાય જ નથી..? કે તંત્ર અકસ્માતની રાહ જોઈ બેઠું છે.

ProudOfGujarat

ભરૂચ : કરજણ ખાતે મહિલા કોંગ્રેસનાં અધ્યક્ષની ઉપસ્થિતિમાં જનસંપર્ક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!