Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા : ભેરસમ ગામનાં તળાવમાંથી આશાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર.

Share

વાગરા તાલુકાના ભેરસમ ગામમાં રહેતા ચંદુભાઈ ભારમલ ભાઈ વસાવા રહે. નવીનગરી, ગામ ભેરસમનાઓ દ્વારા ગણપતિ વિસર્જનમાં ગયેલ પુત્ર મહેશ ચંદુભાઈ વસાવા ઘરે પરત નહીં આવતા લાપતા બન્યો હોવા અંગે ગત તારીખ ૨૯/૦૯/૨૦૨૩ ના રોજ વાગરા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવાઈ હતી. વાગરા પોલીસે શોધખોળ હાથ ધરતા યુવકનો મૃતદેહ ભેરસમ ગામનાં તળાવમાંથી મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોર્સ્ટમોટમ કરાવી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગણપતિ વિસર્જન વેળા તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હોવાનું અનુમાન લાગવાઈ રહ્યું છે. આશાસ્પદ યુવાનના મોતથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : વિપક્ષી ઉપનેતા અને જિલ્લા યુવા મહામંત્રી દ્વારા કોવિડ ટેસ્ટિંગ સેન્ટર ઉભું કરવા માંગ કરાઈ.

ProudOfGujarat

સુરત-ફાયર બ્રિગેડ વિભાગની 55 ડાઈંગ-પ્રિન્ટિંગ મિલને નોટિસ…

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે ડો.લીના પાટીલે ચાર્જ સંભાળ્યા બાદથી દારૂ, જુગારના અડ્ડાઓ પર પોલીસના સતત દરોડા,અનેક જુગારીઓ અને બુટલેગરો જેલ ભેગા..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!