Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના અંગારેશ્વર ગામ પાસે ગણેશ વિસર્જન માટે જતો ટેમ્પો પલટયો, ૧૦ લોકોને ઇજા

Share

ભરૂચમાં અંગારેશ્વર ગામે શ્રીજીની પ્રતિમાને લઇ જતો ટેમ્પો રોડ પરના ખાડાઓને કારણે પલટી જતાં ૧૦ જેટલાં શ્રીજીભક્તોને ઇજાઓ થઇ હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. જે પૈકીના ૪ ની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ શહેર જિલ્લામાં ગુરુવારે ભારે ધામધુમથી ગણેશમંડળોએ શ્રીજીને વિદાય આપી હતી. દરેક મંડળો વાજતેગાજતે અને ડીજે – ઢોલ નગારાના તાલે શ્રીજીની શોભાયાત્રા કાઢી હતી. મોડી રાત્રી સુધી ભાડભૂત ખાતે વિસર્જનની પ્રક્રિયા ચાલી હતી.

દરમિયાનમાં ભરૂચના નવી વસાહત વિસ્તારમાં રહેતાં શ્રીજી ભક્તોએ પણ તેમના ગણેશની પ્રતિમાની શોભાયાત્રા કાઢી હતી.જે બાદ તેઓ શ્રીજીના વિસર્જન માટે શુક્લતીર્થ રોડ પર આવેલાં મંગલેશ્વર ગામે જવા નિકળ્યાં હતાં. ટેમ્પોમાં શ્રીજીની પ્રતિમા સાથે ગણેશભક્તો મોરિયાના નારા લગાવી રહ્યાં હતાં. દરમિયાનમાં અંગારેશ્વર ગામ પાસે રોડ પર પડેલાં મોટા ખાડાઓને કારણે ટેમ્પો બેકાબુ બનીને પલટી ગયો હતો. જેમાં દશેક શ્રીજીભક્તોને ઇજાઓ થઇ હતી. ઘટનાની જાણ થતાં ૧૦૮ ની ટીમે તુરંત સ્થળ પર દોડી જઇ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની કવાયત શરૂ કરી હતી. જે પૈકીના ચાર યુવાનોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

રાજપીપલાની ધી એમ.આર. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિનની થયેલી ઉજવણી.

ProudOfGujarat

ભરૂચ : ઉમલ્લા નજીકના ધોલેખામ ગામે ચુંટણીની અદાવતે મારામારીના બે બનાવ બન્યા.

ProudOfGujarat

ભરૂચ કોંગ્રેસનાં કાર્યકર સંદીપ માંગરોલાએ ઝાયડસ કેડીલાનાં સી.એમ.ડી. ને રેમેડીસીવીરનાં ઇન્જેક્શન આપવા માંગ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!