Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા નદીમાં પ્રતિબંધ વચ્ચે ભરૂચ અને અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન માટે તંત્ર દ્વારા કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરાઇ

Share

ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં વિઘ્નહર્તાને ગુરૂવારે વાજતે ગાજતે ભાવભેર વિદાય આપવા તંત્ર, મંડળો અને ભક્તો સજ્જ બન્યા છે. નર્મદા નદીમાં મૂર્તિઓનું વિસર્જન પર પ્રતિબંધ હોવાને લઇ ગણેશ ભક્તો, આયોજકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે ભરૂચ અને અંકલેશ્વરમાં શ્રીજી વિસર્જન માટે 7 કૃત્રિમ કુંડ તંત્ર દ્વારા તૈયાર કરાયા છે જેમાં જ વિસર્જન કરવાનું રહેશે.

ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં નાની મોટી થઈ 6 હજારથી વધુ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવનાર છે. ભરૂચમાં જે.બી.મોદી પાર્ક, મકતમપુર અને ઝાડેશ્વર નજીક એક એક કૃત્રિમ કુંડ વિસર્જન માટે તૈયાર કરાયો છે.

Advertisement

જ્યારે અંકલેશ્વરમાં રામકુંડ, સુરવાડી નજીક જળકુંડ, જીઆઇડીસી ઇ.એસ.આઈ.સી. હોસ્પિટલ પાસે તેમજ આર.એમ.પી.એસ. સ્કૂલ નજીક મળી 4 કુંડ વિસર્જન માટે તૈયાર કરાયા છે. ભરૂચમાં નિલકંઠેશ્વર નર્મદા કિનારે તેમજ અંકલેશ્વર ગોલ્ડનબ્રિજના છેડે નર્મદા નદીમાં મૂર્તિઓનું વિસર્જન થઈ શકશે નહીં.


Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે ચાર જેટલા જુગારીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….

ProudOfGujarat

વડોદરા : કરજણનાં દેથાણ ગામમાં મૂળ નિવાસી એકતા મંચના અગ્રણીઓએ ભોગ બનેલ મહિલાના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના આપી.

ProudOfGujarat

જામગરી બંદૂક સાથે એક ઈસમ ને પાલીતાણા ના જશપરા પાસેથી ઝડપી   પાડતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!