Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા નદીમાં પ્રતિબંધ વચ્ચે ભરૂચ અને અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન માટે તંત્ર દ્વારા કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરાઇ

Share

ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં વિઘ્નહર્તાને ગુરૂવારે વાજતે ગાજતે ભાવભેર વિદાય આપવા તંત્ર, મંડળો અને ભક્તો સજ્જ બન્યા છે. નર્મદા નદીમાં મૂર્તિઓનું વિસર્જન પર પ્રતિબંધ હોવાને લઇ ગણેશ ભક્તો, આયોજકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે ભરૂચ અને અંકલેશ્વરમાં શ્રીજી વિસર્જન માટે 7 કૃત્રિમ કુંડ તંત્ર દ્વારા તૈયાર કરાયા છે જેમાં જ વિસર્જન કરવાનું રહેશે.

ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં નાની મોટી થઈ 6 હજારથી વધુ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવનાર છે. ભરૂચમાં જે.બી.મોદી પાર્ક, મકતમપુર અને ઝાડેશ્વર નજીક એક એક કૃત્રિમ કુંડ વિસર્જન માટે તૈયાર કરાયો છે.

Advertisement

જ્યારે અંકલેશ્વરમાં રામકુંડ, સુરવાડી નજીક જળકુંડ, જીઆઇડીસી ઇ.એસ.આઈ.સી. હોસ્પિટલ પાસે તેમજ આર.એમ.પી.એસ. સ્કૂલ નજીક મળી 4 કુંડ વિસર્જન માટે તૈયાર કરાયા છે. ભરૂચમાં નિલકંઠેશ્વર નર્મદા કિનારે તેમજ અંકલેશ્વર ગોલ્ડનબ્રિજના છેડે નર્મદા નદીમાં મૂર્તિઓનું વિસર્જન થઈ શકશે નહીં.


Share

Related posts

વાલિયાનાં બાંડાબેડા ગામે ઇકો ગાડી સ્કૂલ પાસે મુકવા મુદ્દે પિતા-પુત્ર ઉપર ત્રણ ઈસમોએ ચપ્પુ વડે હુમલો કરતા પિતાનું મોત.

ProudOfGujarat

વન્યજીવોની સુરક્ષા અને સલામતી માટે સદૈવ તત્પર વડોદરાનું વન્યજીવ પ્રબંધન અને બચાવ કેન્દ્ર

ProudOfGujarat

ઝઘડીયા : વણાકપોર ગામે બહારથી આવેલ પાંચ વ્યક્તિઓનાં ઘરો હોમ કવોરન્ટાઇન કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!