Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર મદ્રસા એ અલવીયુલ હુસૈની દ્વારા ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરાઈ.

Share

ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર મહમદ સાહેબનો જન્મદિવસ ઇસ્લામિક માસ રબીઉલ અવ્વલની 12 મી તારીખે મનાવવામાં આવે છે. જે અંતર્ગત વિશ્વભરમા મુસ્લિમ સમાજ વિવિધ કાર્યક્રમો કરીને તેની ઉજવણી કરે છે. આ ઉજવણી અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત મદ્રસા એ અલવીયુલ હુસૈની કમિટીના સંચાલકો દ્વારા મદ્રસા મા અભ્યાસ કરતા તાલીમાર્થી બાળકો અને બાળાઓ દ્વારા પયગમ્બર સાહેબની શાનમાં નાત શરીફ અને તેમના જીવન ચરિત્ર ઉપર બોધપાઠ રૂપી તકરીર કરવામાં આવી હતી.

આયોજિત કાર્યક્રમમાં અભ્યાસ કરતા દરેક વર્ગના તાલીમાર્થીઓ મદ્રસા ના શિક્ષણ આપતા શિક્ષકો ની દોરવણી હેઠણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, મદ્રસા કમિટીના સભ્યો સહિત પ્રમુખ, ઉપપ્રમુખ ઉપસ્થિત રહયા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

પિતાની દીકરી માટે કુરબાની : સુરતમાં રહેતા ખેડૂત પરિવારની 19 વર્ષની દીકરી બની દેશની સૌથી યંગેસ્ટ કમર્શિયલ પાયલોટ

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો દ્વારા જરૂરતમંદ વિદ્યાર્થીઓનાં પરિવારોને કુલ 4200 થી વધુ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ઝઘડિયાના ગુંડેચા નજીક હાઇવા ટ્રકે ફોર વ્હિલ ગાડીને ટક્કર મારતા એક ઇસમને ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!