Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ખાતે ભારત ભારતી સંસ્થા દ્વારા સામૂહિક રક્ષબંધન યોજાયો

Share

રાષ્ટ્રીય એકાત્મતાને સમર્પિત સંસ્થા ભારત ભારતી દ્વારા તારીખ ૧૭ રવિવારના રોજ સામૂહિક રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું આયોજન ભરૂચ ભારત ભારતીના કનવિનર મુકતાનંદ સ્વામીની અધ્યક્ષતા ડો. દીપિકા શાહ અને ડો. જીતેન્દ્ર રાજપૂતની દેખરેખમાં થયું હતું ભરૂચ અને અંકલેશ્વર માં વસતા વિવિધ પ્રાંતના ભાઈ બહેનો દ્વારા એક બીજા પ્રત્યે સ્નેહ ભાવ મૈત્રી પ્રેમ રાષ્ટ્રીય ભાવ પેદા થાય એ હેતુથી આ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યો હતું.

આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તેમજ વક્તા તરીકે અરવિંદ સિંહ વણવાર તેમજ અવિનાશ પાટિલે સંસ્થાના ઉદ્દેશો તેમજ સંસ્થા દ્વારા સમગ્ર દેશના રાષ્ટ્રીય એકાત્મતા ને લગતી પ્રવૃત્તિઓ વિશે રસભર માહિતી આપી હતી. તદઉપરાંત વિવિધ રાજ્યો ના લોકો દ્વારા પારંપરિક વેશભુષા માં જેતે પ્રાંત ને ભાષા ના ગીતો ઉપર નૃત્ય તેમજ વિવિધ પ્રકારની કલાકૃતિઓ રજુ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચના રેલ્વે બ્રિજની અંકલેશ્વર તરફથી એક વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. માં ત્રણ દિવસીય એ.આઈ.એ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોનું ઉદ્ઘાટન કરાયું.

ProudOfGujarat

ભરૂચ : પર્યાવરણના થયેલ નુકસાન સામે ઔદ્યોગિક એકમો પાસે દંડ પેટે વસુલાત થયેલ રકમ પર્યાવરણના રક્ષણના હેતુથી અસરગ્રસ્ત વિસ્તારમાં વાપરવા માટેની પર્યાવરણવાદીની માંગણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!