Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા પૂરની સ્થિતિ માટે જવાબદાર ભાજપની સરકાર છે : સંદીપ માંગરોલા

Share

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ભારતીય જનતા પાર્ટીની સરકારની બે જવાબદાર નીતિના કારણે ઇતિહાસમાં પ્રથમ વખત ડેમને અડીને આવેલા ઉપરવાસના ગામોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. નર્મદા જિલ્લાના કાંઠાના વિસ્તારના ગામો સાથે ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં ખૂબ જ ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને ઇતિહાસમાં પ્રથમ વખત મોટી પૂરની પરિસ્થિતિ માનવસર્જિત ઉભી થવા પામી છે. જેના માટે જવાબદાર ભાજપની સરકાર અને તંત્ર છે. કેવડીયા કોલોની ખાતે અનેક વ્યવસાયિક સ્થાનો ઉપર પાણી ભરાઈ જતા કરોડો લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતી છે. હજારો એકરની ખેડૂતોની જમીનમાં પાણી ભરાવાથી કેળ, શેરડી સહિતના પાકોને ખૂબ મોટું નુકસાન થવાનું છે. ગુજરાતના મુખ્યમંત્રી અને તેમનું તંત્ર નિંદ્રાધીન હોય એમ નર્મદાના નીરના વધામણા કરવાના ગટકડાઓ કરવામાં વ્યસ્ત છે. આવી બે જવાબદાર સરકાર ઇતિહાસમાં પહેલી વખત જોવા મળી રહી છે. જે ગુજરાતના લોકોની કમનસીબી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી સંદીપ માંગરોળા દ્વારા કાંઠા વિસ્તારના તમામ અસરગ્રસ્ત ગામોના ગ્રામજનોને કોઈ પણ પ્રકારની તાત્કાલિક મદદ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેનો હેલ્પલાઇન નંબર સોશિયલ મીડિયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.

આ ભયાનક સ્થિતિમાં અસરગ્રસ્ત ગામોની મુલાકાત માટે કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા અન્ય આગેવાનો સાથે હાલમા કાંઠા વિસ્તારના ગામોમા ફરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ : કેલવીકુવા ગામનાં એન.આર.આઇ ભકત (પાટીદારો) ગામ રક્ષક દળનાં 170 જેટલા જવાનોની વ્હારે આવતાં તમામને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં વધુ બે લોકો કોરોના વાયરસ સ્થિતિ સંક્રમિત થયા હોવાની વિગતો બહાર આવી છે જેમાં હાલ ભરૂચ જિલ્લામાં બહારથી આવીને સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા ૧૯ ઉપર પહોંચી છે જ્યારે કુલ સંક્રમિત લોકોની સંખ્યા 59 ઉપર પહોંચી છે.

ProudOfGujarat

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે કોવિડ-૧૯ વેકસીનેશનનો રાઉન્ડ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!