Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ સ્થિત કન્યાશાળામાં સખીદાતા તરફથી આર.ઓ ફિલ્ટર પ્લાન્ટ તથા પાણીનું કુલર દાન કરાયું

Share

ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત કન્યાશાળામાં નગરના સખીદાતા તરફથી શાળામાં આર.ઓ ફિલ્ટર પ્લાન્ટ તેમજ પાણીનું કુલર દાન કરવામાં આવ્યું હતું. કન્યાશાળામાં બાળકોને પીવાના પાણીની તકલીફ પડી રહી હતી. જે ધ્યાને આવતા નગરના સંજરી પાર્ક વિસ્તારમાં રહેતા સખી દાતા ઈમ્તિયાઝભાઈ સૈયદ તરફથી શાળામાં આર.ઓ ફિલ્ટર પ્લાન્ટ અને પાણીના કુલરનું દાન કરવામાં આવ્યું હતું.

કન્યાશાળામાં આર.ઓ ફિલ્ટર પ્લાન્ટ અને પાણીનું કુલરની વ્યવસ્થા કરવામાં આવતા કન્યાશાળામાં અભ્યાસ કરતા બાળકોને પીવાના પાણીની પડી રહેલી તકલીફ દુર થશે. આર.ઓ ફિલ્ટર પ્લાન્ટ અને પાણીનું કુલર દાન કરી સૈયદ ઈમ્તિયાઝભાઈ અન્યો માટે પ્રેરણાદાયી બન્યા છે. શાળા સંચાલકો દ્વારા સખી દાતા ઈમ્તિયાઝભાઇ સૈયદનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ઝધડીયા જીઆઈડીસી વિસ્તારની કંપનીમાંથી એફલૂએન્ટ વરસાદી કાશમાં વેહતું હોવાની ફરિયાદ કરતા જીપીસીબીએ કાર્યવાહી હાથ ધરી છે..

ProudOfGujarat

બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડ રજૂ કરે છે એનએફઓ- બરોડા બીએનપી પરિબા મલ્ટી એસેટ ફંડ

ProudOfGujarat

વડોદરા : આદિવાસી અને જંગલ વિસ્તારમાં રહેતા પરિવારોના સર્વાંગી વિકાસ અર્થે પેસા એકટ કાયદો લાગુ કરવાની કોંગ્રેસ દ્વારા કરાઈ માંગણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!