Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં વાંસી ગામ ખાતે રેગ્યુલર બસ ના આવતા વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેકટરને કરાઈ રજુઆત

Share

ભરૂચ જિલ્લામાં એસ.ટી વિભાગની કામગીરી સામે અવારનવાર સવાલો ઉભા થઈ રહ્યા છે, જિલ્લા માં ખાસ કરી ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી બસો અનિયમિત હોવાના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે, તો વિધાર્થીઓ પણ બસની અનિયમિતતાના કારણે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે, થોડા દિવસ અગાઉ પાલેજથી આવતી બસમાં વિધાર્થીઓ ઘેટાં બકરાની જેમ મુસાફરી કરતા નજરે પડ્યા હતા તો હવે વાંસી ગામ ખાતે બસની અનિયમિત્તા વિધાર્થીઓની મુંજવણમાં વધારો કર્યો છે.

આજરોજ ભરૂચ જિલ્લાના વાંસી ગામના વિદ્યાર્થીઓ તેમજ સરપંચ દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, વિધાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓના ગામમાં ભરૂચથી વાંસી આવતી એસ.ટી બસ રેગ્યુલર આવતી નથી, જેના કારણે કરમાડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા 50 થી વધુ વિદ્યાર્થી ઓને અગવડતા ઉભી થાય છે.

Advertisement

હાલ વાંસી ગામના વિદ્યાર્થીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તેઓના ગામ તરફ આવતી જતી બસો રેગ્યુલર થાય તે પ્રકારની માંગ કરી છે.


Share

Related posts

મીરે એસેટ દ્વારા ઇટીએફને ટ્રેકિંગ કરતા ભારતના પ્રથમ નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ ઈન્ડેક્સ મીરે એસેટ નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ ઇટીએફની શરૂઆત.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના દેથાણ ગામની જઘન્ય ઘટનાના વિરોધમાં કરણી સેનાના અગ્રણીઓએ ભોગ બનેલ મહિલાના પરિવારજનોની મુલાકાત લીધી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા સહિત અન્ય તાલુકાઓમાં કેટલો વરસાદ વરસ્યો જાણો ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!