Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-અંકલેશ્વરમાં જાહેર માર્ગને અડીને પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે પોલીસની લાલઆંખ

Share

ભરૂચ જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે, ખાસ કરી ભરૂચ-અંકલેશ્વરના માર્ગો ઉપર મનફાવે તેમ ગાડીઓ અને વાહનો પાર્ક થવાના કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થતું હોય છે, તેવામાં હવે જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે, જે બાદ અનેક વાહન ચાલકો દંડનીય કાર્યવાહીનો ભોગ બની રહ્યા છે.

ભરૂચ – અંકલેશ્વરમાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિકને અડચણ રૂપી વાહન ચાલકોને પકડી પાડી તેઓ સામે દંડનીય કાર્યવાહી હાથધરી હતી, ટ્રાફિકના નિયમો વિરુદ્ધ રસ્તાની બાજુમાં જ અન્ય વાહનોને નડતર રૂપી બનનાર અનેક વાહન ચાલકો સામે છેલ્લા 24 કલાક દરમ્યાન વિવિધ વિસ્તારોના જાહેર માર્ગો પર પોલીસે સપાટો બોલાવ્યો હતો.

Advertisement

ભરૂચના પાંચબત્તીથી સ્ટેશન માર્ગ અને કસક સર્કલ વિસ્તાર સહિતના વિસ્તારમાં પોલીસે રસ્તા પર નડતર રૂપી વાહનો સામે દંડનીય કાર્યવાહી કરી હતી તો બીજી તરફ અંકલેશ્વર ખાતે પણ શહેરી વિસ્તાર પોલીસે ટ્રાફિકના નિયમો નેવે મૂકી ફરતા વાહન ચાલકોને દંડ ફટકાર્યા હતા.


Share

Related posts

કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારજનોને 4 લાખની સહાયની માંગ સાથે ભરૂચ કોંગ્રેસે કલેકટરને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

CM ભૂપેન્દ્ર પટેલ 1.91 લાખ મતોથી જીતતા તેમની જીતનો રેકોર્ડ તેમને તોડ્યો.

ProudOfGujarat

*વિશ્વ પૃથ્વી દિવસ ના થોડા ક જ કલાકો પેહલા ભરૂચ જિલ્લા માં ભૂકંપ નો આંચકો પ્રજા ને ચેતવણી સમાન* *પર્યાવરણ સાથે ચેડાં કરવા ચિંતાજનક*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!