Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લામાં તા.૨૮/૦૯/૨૦૧૮ ના રોજ લગભગ તમામ દુકાનો બંધ રહે તેવી સંભાવના…

Share

વેપારી એસોસીએસને આપેલ એલાન….

દવાઓની દુકાન પણ બંધ રહે તેવી શક્યતા…

Advertisement

ઠેર-ઠેર મોલ માં થતુ વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ તેમજ ઓનલાઈન પધ્ધતીએ થતી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી સામે વેપારીઓમાં આક્રોસ ની લાગણી ફેલાઈ ગઈ છે. વારંવાર રજુઆતો કરવા છતા કોઈ પરિણામ ન  આવતા છેવટે દુકાનો બંધ રાખવા અંગેની અપીલ કરવામાં આવી છે. ભરૂચ જીલ્લા વેપારી એસોસીએઅસન ના પ્રમુખ નાગજીભાઈ તાપીયાવાલા ના જણાવ્યા અનુસાર મોલ દ્વારા વિવિધ ચીજવસ્તુનું વેચાણ થઈ રહ્યું છે જેમા અનાજ કરિયાણા થી માંડીને તમામ ગાર્મેન્ટસ તેમજ અન્ય વસ્તુ ઓનું વેચાણ થઈ રહ્યું છે. એટલુજ નહિ પરંતુ હવે તો ઓનલાઈન ખરીદ પધ્ધતિ પણ દિવસે-દિવસે વધતી જાય છે. દવાઓનું પણ ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે જેના પગલે તા.૨૮/૯/૨૦૧૮ ના શુક્રવારે તમામ વેપારીઓને પોતાની દુકાનો બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.


Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે વધુ એક વિજ ટ્રાન્સફોર્મર ચોરીના આરોપીને ઝડપી પાડ્યો.

ProudOfGujarat

ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન, એલજી સત્તા વધારવાનાં કેન્દ્ર સરકારનાં બિલ સામે કરાયો વિરોધ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં કાર્યરત અસંખ્ય સિલિકા પ્લાન્ટસમાં કેટલા કાયદેસર?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!