Proud of Gujarat
FeaturedGujaratINDIA

મણિપુરમાં હિંસા અને આદિવાસી સમુદાય પર થયેલા અત્યાચાર બાબતે ભરૂચ આદિવાસી સમાજે કલેકટરને આપ્યું આવેદનપત્ર

Share

ભરૂચ જિલ્લામાં મણિપુર હિંસાના પડઘા જોવા મળી રહ્યા છે, ગત રવિવારે આદિવાસી વિસ્તારમાં આદિવાસી મહિલા પર થયેલ અત્યાચાર મામાલે બંધનું એલાન આપવામાં આવ્યું હતું જે બાદ વિવિધ સંગઠનો દ્વારા પણ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે, અને સળગી ઉઠેલા મણિપુરને બચાવવા અને દોષિતો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.

આજરોજ ભરૂચ જિલ્લા આદિવાસી સમાજના અગ્રણીઓ અને લોકો ભરૂચ કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા, હાથમાં બેનર લઈ ભરૂચ જિલ્લા આદિવાસી સમાજના લોકોએ મણિપુર હિંસાને રોકવાની માંગ કરી હતી તેમજ આદિવાસી સમાજની મહિલાઓ સાથે થયેલ હિંસાના દોષિત સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી, આદિવાસી મહિલા સાથે થયેલ કૃત્ય મામલે નરાધમો સામે તાત્કાલિક એક્શન લેવાની માંગ કરી હતી અને જો એક્શન નહીં લેવાય તો સમગ્ર આદિવાસી સમાજ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Advertisement

મોટી સંખ્યાયામાં બેનરો લઈ પહોંચેલા ભરૂચ આદિવાસી સમુદાયના લોકોએ રાષ્ટ્રપતિને સંબોધિત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને વહેલી તકે સરકાર એક્શનમાં આવી આ હિંસાને અટકાવી સળગી ઉઠેલા મણિપુરને બચાવી લેવાની માંગ કરી હતી તેમજ આદિવાસી મહિલા સાથે થયેલ કૃત્યના દોષિતોને વહેલી તકે સજા આપવાની માંગ કરી હતી.


Share

Related posts

પ્રેમના દુશ્મનના ષડયંત્ર ને માત આપીને આખરે નિમા અને મનિષના સાચા પ્રેમની જીત થઇ

ProudOfGujarat

ભરૂચ ના પાંચબત્તી વિસ્તાર માં શનિવારે રાત્રી ના સમયે એક એસ ટી બસ ની બ્રેક ફેલ થતા બસે રીક્ષા ને અડફેટે લીધી હતી જોકે આ ઘટના માં મોટી દુર્ઘટના ટળી હતી

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં ૪૩ શાળાઓમાં ૧૧૪ જેટલી આરોગ્યની ટીમો ૧૫-૧૮વર્ષના બાળકોને કોરોના રસીકરણ કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!