Proud of Gujarat
FeaturedGujaratINDIA

વરસાદી માહોલ વચ્ચે ભરૂચ શહેર બન્યું ખાડામય, ઠેરઠેર મસ મોટા ખાડા પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા

Share

ભરૂચ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ઠેરઠેર મસ મોટા ખાડા ઉપજી આવતા વાહન ચાલકોને વાહન હંકારવામાં મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે, શહેરના મુખ્ય માર્ગોથી લઈ અનેક એવા અંતરીયાળ વિસ્તારમાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ શ્રવણ ચોકડીથી મનુબર ચોકડીને જોડતા માર્ગ ઉપર પણ અનેક ખાડા પડતા લોકોની હાલત કફોડી બની છે.

ભરૂચમાં ચોમાસાની ઋતુની હજુ તો મન મૂકી શરૂઆત થઈ છે તેવામાં ઝાડેશ્વર તવરા માર્ગ, ભરૂચ ફાટાતળાવ માર્ગ, દાંડિયા બજાર માર્ગ, કસક રેલવે ઑવરબ્રિજ માર્ગ, આલી ઢાલથી મહંમદપુરાને જોડતો માર્ગ સહિતના અનેક એવા વિસ્તારમાં ઊંડા ઊંડા ખાડા પડયા બાદ તેમાં પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો માટે મુશ્કેલી સમાન સ્થિતિનું સર્જન થયું છે.

સામાન્ય વરસાદી માહોલ વચ્ચે જ આ પ્રકારે શહેરમાં ખાડાનું સામ્રાજ્ય ઉત્પન્ન થઈ જતા હવે લોકો પાલિકા સહિતના તંત્ર પાસે વહેલી તકે આ ખાડા પુરવામાં આવે તેવી ચાતક નજરે રાહ જોઈ બેઠા છે, ત્યારે તંત્ર વહેલું એક્શનમાં આવે અને લોકોને પડતી હાલાકીમાંથી તેઓને બહાર કાઢે તેવી માંગ ઉઠી છે.

Advertisement

Share

Related posts

નર્મદાના ગોરા ઘાટ ઉપર આરતીના ચાર્જ લેવા બાબતે સાધુ સંતોએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને કલેકટરને આવેદન આપ્યું

ProudOfGujarat

ભરૂચની કોવિડ હોસ્પિટલોમાં સાયકોલોજીસ્ટ ડોકટરો દ્વારા દર્દીઓનું કાઉન્સિલીંગ કરાયું.

ProudOfGujarat

છોટાઉદેપુરમાં મુખ્યમંત્રીના હસ્તે રૂા. ૧૩૧ કરોડના કામોનું થશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!