Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ : કરજણ-વાડી પાઇપલાઇન યોજનાની કામગીરીમાં વિલંબ

Share

પ્રાપ્ત માહિત મુજબ નર્મદા ડેમનું પાણી કચ્છ-સૌરાષ્ટ્ર-કાઠીયાવાડ સુધી પહોંચ્યું અને ઉકાઇ ડેમનું પાણી સાગબાર-ડેડીયાપાડા અને ઉમરપાડા તાલુકાના ગામે-ગામ સુધી સરકારે લાખો-કરોડો રૂપિયા ખર્ચીને પહોંચાડ્યું હતું.પરંતુ નેત્રંગ-વાલીયા તાલુકાના બંને ડેમના પાણીના સાચા હકદાર આદિવાસીઓને પાણીનું એકટીપું મળ્યું નથી. આ કડવી વાસ્તવિકતા છે. ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાની રાજ્ય સરકારમાં રજુઆતના પગલે નેત્રંગ-વાલીયા તાલુકામાં સરકારે આઝાદીના ૭૦ વષૉ પછી કરજણ-વાડી સુધીની પાઇપલાઇન સિંચાઇ યોજના અને નેત્રંગ-વાલીયા જુથ પાણી-પુરવઠાની યોજનાની મંજુરી મળી હતી.જેમાં કરજણ ડેમનું પાણી લીફટીંગ કરીને પાઇપલાઇન મારફતે નેત્રંગ-વાલીયા તાલુકાના ગામે-ગામ પીવાનું પાણી આપવાનું અને નદી-નાળા કોતરોમાં પાણી છોડવાથી પાણીના સ્તરમાં વધારો થવાથી ખેડુતોને આસાનીથી સિંચાઈનું પાણી મળી શકે.

કરજણ-વાડી પાઇપલાઇન યોજનાની કામગીરીને ૫ વર્ષ જેટલો લાંબો સમય પસાર થઈ ચુક્યો છે.પરંતુ કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી. કેટલાક વિસ્તારમાં પાઇપલાઇન નાખવા માટે ખેડુતો-કોંટ્રાક્ટર વચ્ચે જમીનના વળતર બાબતે માથાકુટ ચાલતી હોવાથી કામગીરી ખોરંભે પડી છે.નેત્રંગ-વાલીયા જુથ પાણી-પાણી પુરવઠા યોજનામાં ૧૯ ગામોમાં પાણી સંગ્રહ કરવાના સંપ બનાવાની કામગીરી અટકી પડી છે.સંપ બનાવા માટે જગ્યા નથી કે સરપંચ-તલાટી ઠરાવ આપ્યા નથી તેના કારણે કામગીર થતી નથી.તેવા સંજોગોમાં બંને યોજનાની કામગીરીમાં વિલંબ જણાતા દિવાળી પછી જ સિંચાઈ-પીવા માટેનું પાણી મળશે તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Advertisement

Share

Related posts

મહિસાગર જિલ્લાનાં ઝવરા ખાંટના મુવાડાના ગ્રામજનોએ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીનું ઉદબોધન લાઇવ ટેલીકાસ્ટથી નિહાળ્યુ

ProudOfGujarat

ગાયક પ્રેમ ધિલ્લોન એ બોસ પ્રોડકશન નવ સિદ્ધુની સરાહના કરી.

ProudOfGujarat

ભરૂચ : ઝનોર ગામની વિદ્યાલયના શિક્ષકને રાજ્યપાલ દ્વારા સન્માનિત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!