Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર થયેલ અકસ્માતને લઈને જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ સ્થળપ્રદ મુલાકાત લીધી

Share

ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ નર્મદા મૈયા બ્રિજ પર એસ.ટી સહીત અન્ય સાધનોના છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા અકસ્માતોને પગલે ટીમ ભરૂચના સંલગ્ન અધિકારીઓ સાથે સ્થળપ્રદ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે નર્મદા મૈયા બ્રિજ પર બનેલ અકસ્માતના કારણો જાણવા સંબંધિત વિભાગના અધિકારી સાથે વિચારવિમર્શ કર્યા હતા તથા અકસ્માતના બનાવ ન બને તે માટે નિવારાત્મક પગલાં લેવા પર સુચના આપી હતી. આ ઉપરાંત સલામતીના ભાગરૂપે અને અકસ્માત નિવારવા તમામ વાહનચાલકો ૪૦ કિ.મી/કલાકની ઝડપે જ વાહન હંકારી શકશે તેમ તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે સ્પીડ લીમીટ દર્શવાતા સાઈન બોર્ડ પણ લગાવવાની સૂચના આપી હતી. આ ઉપરાંત સરફેસ રફ કરવા અંગે પણ સંબંધિત અમલીકરણ અધિકારીને સ્થળ પર જ સૂચના આપી હતી.

આ વેળાએ પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ, ભરૂચ પ્રાંત અધિકારી યુ એન જાડેજા સહીત જી એસ આર ટી સી વિભાગ, વાહન વ્યવહાર વિભાગ, માર્ગ અને મકાન વિભાગ વગેરે વિભાગના અમલીકરણ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં કોરોનાનાં કેસો વધતા ગુજરાત – મહારાષ્ટ્રની બોર્ડર ધનશેરા ચેકપોસ્ટ ઉપર આરોગ્ય વિભાગનું સઘન ચેકીંગ.

ProudOfGujarat

નડિયાદ કબ્રસ્તાન ચોકડી કનીપુરા પાસે ખુલ્લા કાંસમાં ગાય પડી જતા રેસ્ક્યુ કરાયુ.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલાએ કેન્સ ડેબ્યૂ માટે ટોની યાર્ડનો સ્નો વ્હાઇટ ડ્રેસ પહેર્યો જેની કિંમત રૂ. 2 કરોડ 86 લાખ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!