Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર થયેલ અકસ્માતને લઈને જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ સ્થળપ્રદ મુલાકાત લીધી

Share

ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ નર્મદા મૈયા બ્રિજ પર એસ.ટી સહીત અન્ય સાધનોના છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા અકસ્માતોને પગલે ટીમ ભરૂચના સંલગ્ન અધિકારીઓ સાથે સ્થળપ્રદ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે નર્મદા મૈયા બ્રિજ પર બનેલ અકસ્માતના કારણો જાણવા સંબંધિત વિભાગના અધિકારી સાથે વિચારવિમર્શ કર્યા હતા તથા અકસ્માતના બનાવ ન બને તે માટે નિવારાત્મક પગલાં લેવા પર સુચના આપી હતી. આ ઉપરાંત સલામતીના ભાગરૂપે અને અકસ્માત નિવારવા તમામ વાહનચાલકો ૪૦ કિ.મી/કલાકની ઝડપે જ વાહન હંકારી શકશે તેમ તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે સ્પીડ લીમીટ દર્શવાતા સાઈન બોર્ડ પણ લગાવવાની સૂચના આપી હતી. આ ઉપરાંત સરફેસ રફ કરવા અંગે પણ સંબંધિત અમલીકરણ અધિકારીને સ્થળ પર જ સૂચના આપી હતી.

આ વેળાએ પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ, ભરૂચ પ્રાંત અધિકારી યુ એન જાડેજા સહીત જી એસ આર ટી સી વિભાગ, વાહન વ્યવહાર વિભાગ, માર્ગ અને મકાન વિભાગ વગેરે વિભાગના અમલીકરણ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપળા પાલિકા સફાઈ કર્મીઓનો પાલિકામાં હલ્લાબોલ, પોલીસ આવતા મામલો થાળે પડયો.

ProudOfGujarat

લોકડાઉન પ્રથમ દિવસ પંચમહાલ જિલ્લામાં ગોધરા સહિતના શહેરોમાં લોકડાઉનનો ચુસ્ત અમલ

ProudOfGujarat

ઝઘડિયાના ટોઠીદરા ગામના ગ્રામજનો દ્વારા રેત માફિયાઓ વિરુદ્ધ જિલ્લા કલેકટરને આવેદન પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!