Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે ગૌ પૂજન કરી કર્મચારી દિવસની ઉજવણી કરાઇ

Share

ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્ર મનો દિવ્યાંગ બાળકોની સંસ્થામાં પરેશભાઈ પંડ્યા (સરકારી વકીલ ભરૂચ તથા અસ્મિતાના લીગલ એડવાઈઝર), તેમના ધર્મ પત્ની એકતાબેન(યોગા ટ્રેનર), તેમજ તેઓના દીકરા ધ્રુવભાઈ (પાયલોટ) તથા તેમના પરિવારજનો શ્રી મયુર સિંહ વાઘેલા, શ્રી દિનેશભાઈ પટેલ તથા તેઓના મિત્રવૃંદ સાથે સંસ્થાની મુલાકાતે આવ્યા હતા.

તેમના પરિવારજનો દ્વારા બાળકોને પૌષ્ટિક ભોજન જમાડવામાં આવેલ હતું. તેઓએ સંસ્થાના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી અને “ગૌ પૂજન” પણ કર્યું હતું. મનો દિવ્યાંગ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો.

સંસ્થાના સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલ સાહેબ તથા સંસ્થાના ટ્રસ્ટી મંડળના સભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના” બિન શૈક્ષણિક કર્મચારી ગણ” નું “કર્મચારી દિવસની ઉજવણી નિમિત્તે” સંસ્થા વતી ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ તેઓના કાર્યને બિરદાવ્યું હતું.

Advertisement

Share

Related posts

વેજલપુર આદિવાસી વિસ્તારમાં અપૂરતી સુવિધા ભરૂચ જિલ્લા કલેકટર ન. પા પ્રમુખ અને ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવ્યું

ProudOfGujarat

ન્યુઝ 18 નાં એન્કર દ્વારા હઝરત ખ્વાઝા ગરીબ નવાઝ વિશે અભદ્ર ટિપ્પણી કરતાં અંકલેશ્વરનાં મુસ્લિમ સમાજનાં આગેવાનો દ્વારા શહેર પોલીસ મથકે પીઆઇ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

સુરત જિલ્લામાં સામાજિક અંતર સાથે જળસંચય મનરેગા કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!