Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં જુદા જુદા વિસ્તારોમાં વિકાસના કામોનું ખાતમુર્હુત કરાયુ.

Share

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુડીપી -૮૮ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસના કાર્યો અંગે આજરોજ હનુમાન જયંતિના દિવસે ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતુ. કુલ ૬ કામો રૂ ૧,૧૧,૨૨,૨૦૦ ના ખર્ચે આ કામો અંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામા આવ્યું હતું. આ વિકાસના કામોમાં વોર્ડ નં. ૧૧ સોનેરી મહેલ સર્કલથી ચકલા સુધીના રસ્તા પર પેવરબ્લોક બેસાડવા ઉપરાંત આ જ વોર્ડમાં સમાવેશ ચકલા વિસ્તારના લાલભાઈ પાટ જુના બજારને જોડતા રસ્તા પર પેવરબ્લોક નાંખવાનું કામ, ભોઈવાડ વિસ્તારમાં ધર્મેશભાઈ શાહના ઘરથી અંબાજી માતાના મંદિર સુધી અને ચંદનચોક વિસ્તારની આંતરિક ગલીઓમાં તેમજ ચોકમાં અને હાજીખાના બજારથી સાધના સ્કુલ થઈ ચકલા સુધીના રસ્તા પર પેવર બ્લોક બેસાડવાના કામનું ખાતમુર્હુત કરાયુ હતુ. આ ઉપરાંત વોર્ડ નં.૭ માં આવતા સ્વામિનારાયણ મંદિર પાસે પણ પેવર બ્લોક બેસાડવાના કામ અર્થે ખાતમુર્હુત પ્રસંગે પુર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, સ્થાનિક કોપોરેટરો વગેરે ઉસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નરેન્દ્ર મોદીના હસ્તે નડિયાદ પેટલાદ રેલવે બ્રોડગેજ લાઇન ઇ શિલાન્યાસ કરાયો.

ProudOfGujarat

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત.

ProudOfGujarat

અંકલેશ્વર પંથકમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!