Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકામાં વિપક્ષ દ્વારા પાણીના પ્રશ્ને પાલિકા પ્રમુખ તેમજ પાણી વિભાગના ચેરમેનને કરાઇ રજૂઆત

Share

ભરૂચ શહેરને પાણી પૂરું પાડતી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની અમલેશ્વર બ્રાંચ કેનાલમાં 25 માર્ચના રોજ ઝનોર પાસે ભંગાણ થયું હતું. તા. 29 માર્ચથી સમારકામની કામગીરી શરૂ થતા નહેર વિભાગ દ્વારા શહેરમાં અપાતું પાણી બંધ કરવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા શહેરમાં 10 દિવસથી માતરીયા સ્ટોરેજમાંથી એક સમયે પાણી આપવાનું આયોજન કરેલ છે પરંતુ શહેરના અને અમુક વિસ્તારોમાંથી અમોને પાણી ના મળતું હોય તેમજ પાણીનો જે સમય નક્કી હોય તેના કરતા ઓછું પાણી પ્રેસર વગર મળે છે તેવી ફરિયાદ આવી છે તે માટે આજરોજ વિપક્ષ નેતા સમશાદ સૈયદ, વિપક્ષના સભ્યો સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઈબ્રાહીમ કલકલ એ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા અને પાણી વિભાગના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિને રજૂઆત કરી હતી. નગરપાલિકા દ્વારા નહેર વિભાગ સાથે સંકલન કરી રીપેરીંગ કામગીરી વહેલા કરાવે અને શહેરની પ્રજાને ભર ઉનાળે તહેવારમાં પાણી માટે પડતી મુશ્કેલીમાંથી રાહત આપે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટ ખાતે ભક્તો નર્મદા સ્નાન કરવા માટે ઉમટયા

ProudOfGujarat

ઝઘડીયાના ખાખરીપુરાની શિક્ષિકા નસીમબાનું ખોખરનું ગ્લોબલ એચી વર્ષ એવોર્ડથી સન્માન કરાયુ.

ProudOfGujarat

પંચમહાલ:તલાટીઓની હડતાલનો ત્રીજો દિવસ, સાફસફાઇ હાથ ધરી નોધાવ્યો વિરોધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!