Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં ૨૩૬ દિવસ બાદ કોરોનાથી 81 વર્ષીય વૃદ્ધનું મોત નીપજયું

Share

આજરોજ ભરૂચ પંથકમાં એક 81 વર્ષીય વૃદ્ધનું કોરોનાના કારણે ખાનગી હોસ્પિટલમાં મોત નિપજયું હતું. રાજ્યમાં છેલ્લા 11 દિવસમાં કોરોનાના કારણે બીજું મોત નોંધાયું છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના 81 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ થયા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મૃતકે કોરોનાની રસીના બંન્ને ડોઝ લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભરૂચમાં કોરોના પોઝિટીવ મૃતકોની અંતિમ વિધી કરતા સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકીના જણાવ્યા મુજબ ૨૩૬ દિવસ બાદ ભરૂચ નજીક નર્મદા નદીના કિનારે આવેલ અલાયદા કોરોના સ્મશાનમા અંતિમ વિધી કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, અત્યાર સુધી ભરૂચ જિલ્લામાં કુલ ૨૫૭૮ વ્યક્તિઓના કોરોનાથી મૃત્યુ થયા છે. ભરૂચ જિલ્લામાં હાલ કોરોના પોઝિટીવ 6 જેટલા દર્દીઓ ઓ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

Share

Related posts

પાલેજ ખાતે રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

આમોદ તાલુકા ના સરભાણ ગામ પાસે ઢોર ચરાવવા બાબતે સિમરખા અને રબારી સમાજ વચ્ચે થયેલ મારામારી 5 વ્યક્તિ ઓને ઇજા 3 વ્યક્તિ ઓ ગંભીર

ProudOfGujarat

ઝઘડીયા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા મુખ્ય મંત્રી રાહત ફંડમાં ૧ લાખનો ચેક અપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!