Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ તાલુકાના ઇખર સ્થિત હજરત ઇસા પીર રહમતુલાહ અલયહેની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

Share

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર સ્થિત તળાવની સામે આવેલી સુપ્રસિધ્ધ હજરત પીર ઇસા પીરની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. દર વર્ષે ઇસ્લામી શાબાન માસમાં સંદલ શરીફની વિધિ પરંપરાગત રીતે સંપન્ન કરવામાં આવે છે. આ પ્રસંગે અસરની નમાઝ બાદ ઉપરોક્ત દરગાહ શરીફ પર દરગાહ કમિટી દ્વારા સંદલ શરીફ અદા કરવામાં આવ્યું હતું. દરગાહ કમિટી તેમજ અકીદતમંદો દ્વારા દરગાહ શરીફ પર ફૂલ ચાદરો અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સલાતો સલામ નું પઠન કરવામાં આવ્યું હતું. સાથે સાથે દુઆ પણ ગુજારવામાં આવી હતી. સંદલ શરીફ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડયા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

श्रद्धा कपूर और रणबीर कपूर पहली बार स्क्रीन स्पेस करेंगे साझा, फैंस हुए रोमांचित!

ProudOfGujarat

ડેડીયાપાડાના ખૈડીપાડા ગામે ખેડૂત સંમેલન યોજાયું

ProudOfGujarat

ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!