Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી વિસ્તાર ખાતે મકાનમાં આગ લાગતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

Share

ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આગ લાગવાની સતત ત્રીજી ઘટના આજે બપોર સુધી સામે આવી હતી. ભરૂચના સ્ટેશન રોડને અડીને આવેલ ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં આજરોજ એક મકાનમાં આગ ફાટી નીકળતા ભારે નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા. મકાનમાં અચાનક ફાટી નીકળેલ આગનાં ધુમાડા દુરદૂર સુધી જોવા મળતા એક સમયે ઉપસ્થિત લોકોમાં ગભરાટનો માહોલ છવાયો હતો.

મકાનમાં લાગેલ આગની ઘટનામાં ઘરની અંદર રહેલ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી તો બીજી તરફ ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લશ્કરો એ તાત્કાલિક બે જેટલાં લાયબંબા લઈ ઘટના સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવતા ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો, જોકે સમગ્ર ઘટનાક્રમમાં સદનસીબે કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

Share

Related posts

નાયબ મુખ્યમંત્રીનાં વિવાદાસ્પદ નિવેદનથી આદિવાસી સમાજમાં પડયા વિરોધનાં પ્રત્યાઘાતો.

ProudOfGujarat

મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેથી ટ્રેન મારફતે દારૂનો જથ્થો લાવનાર ઇસમને ઝડપી પાડતી સુરત રેલ્વે પોલીસ

ProudOfGujarat

ભરૂચ તેમજ છોટાઉદેપુરના ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી લઇ અનડિટેક્ટ ગુનો શોધી કાઢતી દહેજ પોલીસ*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!