Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ – અંકલેશ્વરને જોડતા જુના નેશનલ હાઇવે પર કાર સળગી ઉઠતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહીં

Share

ભરૂચ અંકલેશ્વર જુના નેશનલ હાઇવે 8 ઉપર ગત રાત્રિના સમયે સામ્રાજ્ય નગર પાસે એક કારમાં અચાનક ધુમાડા નીકળ્યા બાદ ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી, જોતજોતામાં આંખે આખી કાર આગની ચપેટમાં આવતા કારમાં સવાર તમામ લોકોએ સમય સૂચકતા વાપરી સલામત રીતે બહાર નીકળી ગયા હતા.

ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના જવાનોએ તાત્કાલિક લાય બંબા સાથે ઘટના સ્થળે દોડી જઈ આગની જવાળાઓમાં ભડકે બળતી કાર ઉપર પાણીનો મારો ચલાવી આંગને ગણતરીના સમયમાં કાબુમાં લેતા ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો, જોકે આગની ઘટના વચ્ચે એક સમયે જુના નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિનું પણ સર્જન થતું જોવા મળ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં ભાડભૂત નર્મદા કિનારે શાંતિપૂર્ણ માહોલમાં વિધ્નહર્તાની 403 પ્રતિમા વિસર્જિત કરાય

ProudOfGujarat

સરકારી કન્યા શાળાની વિધ્યાર્થિનીઓને મફત સ્વેટર વિતરણ

ProudOfGujarat

ભરૂચ : સંગીત ક્ષેત્રે જોડાયેલા કલાકારોએ ભરૂચ કલેકટરને કરી રજુઆત..!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!