Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ ઝાડેશ્વરની સર્વનમન વિદ્યામંદિરમાં સોખડાથી નવો સ્ટાફ મૂકી દેવાતા વિવાદ, વિદ્યાર્થીનીઓને લેવા વાલીઓએ દોડ મૂકી.

Share

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સર્વનમન વિદ્યામંદિર આજકાલ ચર્ચાનું કેન્દ્ર બની છે, આ રેસિડેન્સીલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ રડતા થતા જ કરુણ દ્રશ્યો સર્જાયા હતા. 17 વર્ષથી ફરજ બજાવતી સાધ્વી બહેનોને બદલવા સામે 450 વિદ્યાર્થીનીઓ પરીક્ષા ટાણે જ શાળા છોડવા મજબૂર બન્યા છે.

અચાનક વિદ્યામંદિરમાં અભ્યાસ લેતા વિદ્યાર્થીઓએ પરિવારજનોને રડતા મોઢે ફોન કોલ કરી વિદ્યા મંદિરમાં ઉભા થયેલા વિવાદ અંગેની જાણકારી આપતા જ રાજ્યભરમાંથી વાલીઓએ વિદ્યા મંદિર ખાતે આવવા માટેની દોડ મૂકી હતી, તેમજ મેનેજમેન્ટ સાથે ઉગ્ર બોલાચાલી પર ઉતરી આવતા આખરે સી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.

Advertisement

વિદ્યાર્થીઓએ સાધ્વી બહેનોની બદલીનો વિરોધ કર્યો હતો, તેમજ નવા સ્ટાફની એન્ટ્રી સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો જે બાદ ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ચર્ચાઓ કરી યોગ્ય બાંહેધરી આપતા અંતે મામલો થાળે પડ્યો હોવાનું સામે આવ્યું છે.

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામનાં મૂળ વતની અને હાલ અમેરિકામાં વસવાટ કરતા વતનપ્રેમી પરિવારે વાંકલ સહિત ચાર ગામના જરૂરિયાતમંદ લોકોને અનાજકીટનું વિતરણ કરાવી માનવતા મહેકાવી હતી.

ProudOfGujarat

વડોદરાના વાઘોડિયાથી મોબાઈલ ચોરી કરતા રીઢા ગુનેગારને ઝડપી પાડતી એલ.સી.બી પોલીસ.

ProudOfGujarat

ગોધરા ખાતે ઓનલાઈન દવાના વેચાણ મુદ્દે વેપારીઓ અને કેમિસ્ટોએ દુકાનબંધ રાખી :બાઈક રેલી કાઢી કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું હતું : ઓનલાઈન કંપનીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!