Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના નાંદ ગામ ખાતે નર્મદા નદીમાં જીંગા પકડવા નાંખવામાં આવેલ ઝાખરા દૂર કરવા સ્થાનિકોની તંત્રને રજુઆત.

Share

ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ નાંદ ગામના સ્થાનિકોએ તંત્રમાં આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે, સ્થાનિકોએ આવેદનમાં જણાવ્યું છે કે તેઓના વિસ્તારમાં આવેલ નર્મદા નદીમાં હજારોની સંખ્યામાં વૃક્ષોના પાતરા દારખા કાપી તેના ભાડા બનાવી નર્મદા નદીમાં નાંખવામાં આવ્યા છે અને જેના થકી જીંગા પકડવામાં આવી રહ્યા છે,આટલા મોટા પ્રમાણમાં નાખવામાં આવતા જાખરાના કારણે નર્મદા નદીને નુક્શાન થતું હોવાનું જણાવવામાં આવ્યું છે.

નાંદ ગામના સ્થાનિકોનું જણાવવું છે કે હજારોની સંખ્યામાં નર્મદા નદીમાં નાખવામાં આવેલ ઝાખરાના કારણે નર્મદા નદીનું પુરાણ થઇ રહ્યું છે અને નદી ઝઘડિયાના તરસાલી ગામ તરફ વળી રહી છે, સાથે સાથે ઝાખરાના કારણે નદીમાં પ્રદુષણ પણ વધી રહ્યું છે, આજ પ્રકારે જો નદીમાં ઝાખરા નાંખી જીંગા પકડવાની કામગીરી ચાલતી રહી તો ભવિષ્યમાં નદીનું પુરાણ થવું શક્ય બની શકે છે.

Advertisement

સ્થાનિકોએ મામલે નાંદ ગામ સભામાં ઠરાવ પસાર કરી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પ્રકારની ચાલતી કામગીરી બંધ કરાવવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ભરૂચ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં જાણ કરી છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

વડોદરા : એમ.એસ યુનિવર્સિટીના કર્મચારીનું ફરજ દરમિયાન મોત થયા બાદ 20 વર્ષે પણ ન્યાય નહીં મળતાં વૃદ્ધાના પડખે આવ્યું નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળ.

ProudOfGujarat

હાંસોટ : આહિર સમાજ દ્વારા બીલીયાઇ માતાજી મુગલાય માતાજી મેલડી માતાજીના મંદિરના 27 માં પાટોત્સવની ઉજવણી કરી.

ProudOfGujarat

ભરૂચના મેડીકલના દુકાનો બીલ પર “ભૂલતા નહી: મતદાન તારીખ ૧ ડિસેમ્બર જિ:ભરૂચ” ના મેસેજના સિક્કાની મદદથી મતદાન જાગૃત્તિનો અનોખો સંદેશ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!