Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ચારના મોત અનેક ઘાયલ.

Share

ભરૂચ જિલ્લામાં તહેવારોની ઉજવણી વચ્ચે માર્ગ અકસ્માતની ધોજારી ઘટનાઓ સામે આવી છે, જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સર્જાયેલ બે જેટલી અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ચાર જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે તો અન્ય ત્રણ જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતની પ્રથમ ઘટના ભરૂચના ટંકારીયા ગામ નજીક સર્જાઈ હતી જ્યાં એસ.ટી બસ અને બાઇક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના મોત નિપજ્યા હતા. અકસ્માતની ઘટના બાદ એક સમયે લોકોના ટોળા પર ઘટના સ્થળે ભેગા થયા હતા તેમજ મામલા અંગેની જાણ પાલેજ પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી લાશનો કબ્જો મેળવી અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

તો અકસ્માતની અન્ય એક ઘટના ભરૂચ જિલ્લાના નેત્રંગ-વાડી રોડ ઉપર બની હતી જ્યાં સ્વામિનારાયણ મંદિર નજીક એક ઇન્ડિગો કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડ સાઇડ પર આવેલ વૃક્ષમાં ઘુસી જતા સર્જાયેલ અકસ્માતમાં એક મહિલા સહિત બે લોકોનું મોત નીપજ્યું હતું તેમજ અન્ય ત્રણ જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, મામલે નેત્રંગ પોલીસ દ્વારા મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

સુરતનાં પાંડેસરાની તેરેનામ ચોકડી પાસે આવેલ ખાડીમાંથી યુવકની લાશ મળી આવી હતી યુવાનનાં હાથ ઉપર ઇજાનાં નિશાન હોવાથી પોલીસ આ યુવાનની હત્યા કરી છે કે આત્મહત્યા કરી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

ProudOfGujarat

રાજપીપળામાં વડોદરાની ITM અર્બન ડિઝાઇનના વિદ્યાર્થીઓનું પ્રોજેકટ પ્રદર્શન યોજાયું…

ProudOfGujarat

ભરૂચના નેશનલ હાઇવે ઉપર ન્યાયમંદિર ચોકડી પાસે એક અજાણ્યા પુરુષનુ ઝાડ પર લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!