Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર-ઝઘડિયા-રાજપીપળા રોડ પર આવેલ બ્રિજ જર્જરીત હાલતમાં હોવાથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ.

Share

અંકલેશ્વર-ઝઘડિયા-રાજપીપળા રોડ કિમી ૦/૦ થી ૧૪/૦ પર ચેઈનેજ કિ.મી. ૭/૦૦ થી ૭/૨૦૦ પર આવેલ બ્રિજ જર્જરીત હાલતમાં હોઈ બ્રિજ પરથી જાહેર જનતાની સલામતી માટે તમામ પ્રકારના ભારે વાહનોની સંપૂર્ણ અવર-જવર પર પ્રતિબંધ મૂકવો આવશ્યક જણાય છે. જેથી ભરૂચ અધિક કલેક્ટરર એન.આર.ધાંધલે સને ૧૯૫૧ ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩ (૧)(બી) અન્વ યે મળેલ સત્તાની રૂ એ તા.૩૦/૦૮/૨૦૨૨ થી તા.૩૦/૧૨/૨૦૨૨ સુધી જાહેર જનતાની સુવીધા અને સલામતી માટે અંકલેશ્વર-ઝઘડિયા-રાજપીપળા રોડ પર આવેલ બ્રીજના બંને તરફથી પસાર થતાં તમામ પ્રકારના ભારે વાહનોની સંપૂર્ણ અવરજવર બંધ કરવા જણાવેલ છે.

આ રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે અંકલેશ્વર તરફથી આવતાં વાહનો મુલદ ચોકડી-ગોવાલી-ગુમાનદેવથી ઝઘડિયા તરફ અવર-જવર કરી શકશે. તથા ઝઘડિયા તરફથી આવતાં વાહનો ગુમાનદેવ-ગોવાલી-મુલદ ચોકડીથી અંકલેશ્વર તરફ અવરજવર કરી શકશે. આ જાહેરનામાનાં ઉલ્લંઘન કરનારને ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર બનશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ – ભરૂચે એક જાહેરનામાં દ્વારા જણાવ્યુ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ત્રણ રસ્તા ઓએનજીસી વર્કશોપ પાસે ઓઅએનજી દ્વારા ગ્રીન બેલ્ટ ઉજ્જડ બનતા પ્રકૃતિ પ્રેમીઓમાં તંત્ર સામે રોષ ભભૂકી રહ્યો છે…

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીની કંપનીમાંથી લાખો રૂપિયાની કિંમતના પાઇપોની ચોરી.

ProudOfGujarat

મધ્યપ્રદેશમાં પણ AAP ની એન્ટ્રી થતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!