Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા ખોડલધામ સમિતિ દ્વારા નરેશભાઇ પટેલના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું.

Share

ભરૂચ જીલ્લા ખોડલધામ સમિતિ દ્વારા ખોડલધામ ટ્રસ્ટ અગ્રણી નરેશભાઇ પટેલના જન્મદિન નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. વિગતો અનુસાર ખોડલધામ ટ્રસ્ટ અને સદ્જ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૧ મીના રોજ અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત સરદાર પટેલ ભવન ખાતે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે ઘણા દર્દીઓને લોહીની જરુર પડતી હોય છે, અને કોઇવાર દર્દીને લોહી ન મળી શકતા મુશ્કેલીમાં મુકાવાનો વારો પણ અાવતો હોય છે. ત્યારે જન્મદિનની ઉજવણી રક્તદાન કેમ્પ યોજીને કરવામાં આવેતો તે એક ઉમદા કાર્ય ગણાય. ખોડલધામ ટ્રસ્ટના અગ્રણી નરેશભાઇ પટેલના જન્મદિનને રક્તદાન શિબિરથી યાદગાર બનાવવા સંસ્થાના કાર્યકરો તેમજ હોદ્દેદારો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે. આયોજકો દ્વારા વિવિધ રક્તદાતાઓને શિબિરમાં રક્તદાન કરવા આગળ આવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

રાજપીપળા જિલ્લા જેલ ખાતે ક્રાંતિકારી બિરસામુંડાની જન્મ જ્યંતી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

અમદાવાદનાં મણિનગરમાં યુવતીની છેડતી કરતો વિધર્મી યુવક ઝડપાયો

ProudOfGujarat

ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ નીચેથી વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડતી સી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!