Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પોલીસની સરાહનીય કામગીરી : અમરનાથ યાત્રાએ ગયેલ લકઝરી બસને પંજાબ RTO એ પકડતા ભરૂચ પોલીસ મદદરૂપ બની બસને રવાના કરાવી..!!

Share

ભરૂચ પોલીસ વિભાગને સોશિયલ મિડિયા થકી જાણકારી મળી હતી કે ભરૂચથી અમરનાથ શ્રધ્ધાળુઓ ભરેલ બસ જઇ રહી હતી તે દરમિયાન પંજાબના અમૃતસર જિલ્લાના કચ્છુ નગર ખાતે સ્થાનિક આર ટી ઓ દ્વારા બસને રોકી પોલીસ સ્ટેશન ખાતે લકઝરી બસ તેમજ તેમાં સવાર ૪૦ જેટલા શ્રધ્ધાળુઓ કાયદાકીય પ્રક્રિયાની ગૂંચમાં છેલ્લા ૮ કલાકથી હેરાન પરેશાન થઇ રહ્યા છે, જે બાદ ભરૂચ પોલીસ વિભાગના એ.એસ.પી વિકાસ સુંડા એ ત્વરિત એક્શનમાં આવી મામલા અંગેની તપાસ કરી હતી.

એ.એસ.પી વિકાસ સુંડા દ્વારા અમૃતસર ખાતેના પોસ્ટડનો સંપર્ક કરી શ્રદ્ધાળુઓને થઇ રહેલા હેરાનગતિ અંગે વાકેફ કરી તાત્કાલિક કાયદાકીય પક્રિયા પુરી કરાવી લકઝરી બસ તથા તમામ શ્રધ્ધાળુઓને ત્યાંથી આગળ પ્રવાસ માટે રવાના કરવામાં આવતા ભરૂચ પોલીસની સતર્કતા અને કામગીરીની શ્રધ્ધાળુઓ સહિત જિલ્લાભરમાં પ્રશંસા થઇ રહી છે.

હારુન પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

વર્લ્ડ લોન્ગેસ્ટ 81 કિમીની સ્વિમિંગ સ્પર્ધામાં સુરતના કિશોરે માર્યું મેદાન, 11.38 કલાકમાં કરી પૂર્ણ..

ProudOfGujarat

હવે એક્સપ્રેસ ગતિ – અમદાવાદથી અંકલેશ્વર સુધી 8 લેન એક્સપ્રેસ વે બીજા ચરણમાં ખુલ્લો મુકવાની શક્યતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!