Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાગરા એ.પી.એમ.સી ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ મા.મ. વિભાગના રસ્તાઓને રૂા. ૧૦૦.૪૦ કરોડની તથા પંચાયત મા.મ. વિભાગના રસ્તાઓને રૂા. ૩૨.૯૭ કરોડની અંદાજીત રકમના ખર્ચે નવીનીકરણ અને મજબુતીકરણની કામગીરીનું “ભૂમિપૂજન / ખાતમુર્હુત’ તથા ભરૂચ મા. મ. વિભાગના રસ્તાઓને રૂા. ૬૬.૫૦ કરોડના તથા પંચાયત મા.મ. વિભાગના રસ્તાઓને રૂા. ૦૩.૫૦ કરોડના ખર્ચે નવીનીકરણ થયેલ રસ્તાઓનું અને નેશનલ હાઈવે પર રૂા. ર૩.૦૦ કરોડના ખર્ચે નવનિર્મિત રેલ્વે ઓવર બ્રિજનું“લોકાર્પણ’ રાજયના માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીના વરદહસ્તે સંપન્ન થયું હતું.

ભરૂચ જિલ્લાના વાગરા એપીએમસી ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારી રાવલ, જિલ્લા કલેકટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશભાઇ મિસ્ત્રી સહિત સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રભારીમંત્રી પૂર્ણેશભાઇ મોદીએ ઉકત ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમને દિપ પ્રગટાવી ખુલ્લો મુકયો હતો.

આ અધ્યક્ષસ્થાનેથી માર્ગ અને મકાન મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સંવેદનશીલ સરકાર દ્વારા ગરીબ લોકો કેવી રીતે સમૃધ્ધ થાય તે દિશામાં વિકાસના કાર્યો કરવામાં આવી રહયા છે. ગામે ગામ રસ્તાઓ બનતા ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં વધારો થયો છે જેનાથી અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને ધણો ફાયદો થયો છે. ચારેય માસ ટ્રાસપોર્ટમાં ભરૂચ જિલ્લો પ્રથન સ્થાને રહ્યો છે. ઇન્ડરટ્રીઝ અને ખેત પેદાશોના કાર્ગોને ટ્રાન્સપોર્ટ કરવા એર સ્ટેપ મહત્વ ની સાબિત થશે. જેથી ખેડૂતોની આવક બમણી થશે. ભરૂચમાં ટ્રાફીકનું ભારણ ઓછુ કરવાં દહેજથી પાલેજ સુધી ઇન્ડસ્ટ્રીઝ ડિઝાઇન વાળો રોડ આવનારા સમય ભરૂચને મળશે. તે સાથે વલસાડથી ખંભાત સુધી કોષ્ટલ હાઈવે પણ દરિયાકાંઠા વિસ્તારને નવું સ્વરૂપ આપશે. આમ નવા રોડ અને નવા પ્રકલ્પો ભરૂચને ભાગ્યું ભાગ્યું ભરૃચ હવે જાગ્યું જાગ્યું ભરૂચ બનાવશે. મંત્રી ઉમેર્યું હતું કે સમગ્ર રાજય અને દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે છેવાડાના ગામો સુધી મૂળભૂત જરૂરીઆતો પહોંચે અને ગરીબ લોકોના ઘરે સમૃધ્ધિ આવે તેવા ઉમદા વિચાર થકી આવા વિસ્તારના લોકોની સમસ્યા જાણીને તેના ઉકેલ માટે રોડ- રસ્તાના કામો કરવામાં આવ્યા છે. પ્રાથમિક જરૂરીઆતોની સાથો સાથ રોડ,રસ્તા અને પુલોના નિર્માણ થકી સ્થાનિક લોકોની સુખાકારીમાં વધારો થશે તેમ પણ મંત્રી ઉમેર્યું હતું.

નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇએ પ્રાસંગિક ઉદબોધનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં કામ કરી રહેલી સંવેદનશીલ સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અનેક પ્રજાલક્ષી કામો કરવામાં આવી રહયા છે. સુવિધા સજજ રસ્તાઓ થકી એક સ્થળેથી બીજા સ્થળે ઝડપભેર જઇ શકાશે જેનાથી લોકોના સમય અને નાણાંની બચત થશે. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા દ્વારા વાગરા વિસ્તારમાં થયેલા વિકાસકાર્યોની વિગતો વર્ણવી હતી.

કાર્યક્રમ બાદ ભરૂચ જિલ્લાના સમની ખાતે આવેલ એલ સી નં ૨૨ ઉપર નવનિર્મિત રેલ્વે ઓવર બ્રીજનું માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ રીબીન કાપીને સાથે સાથે તકતીનું અનાવરણ કરી ખુલ્લો મુક્યો હતો. આ વેળાએ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિત આગેવાનો પદાધિકારીઓ તેમજ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીગણ, સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ મીયાગામ ચોકડી પાસે અઢળક સુવિધા સાથે આરોગ્યમ ઓર્થોપેડિક એન્ડ જનરલ હોસ્પિટલનો શુભારંભ થયો.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં થનારી ઉજવણીના પૂર્વ આયોજન અંગે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપદે યોજાયેલી બેઠક

ProudOfGujarat

વડોદરામાં મહિલા બુટલેગરોને પુનઃવસન માટે સહાય કરતી શી ટીમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!