Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના શક્તિનાથ રેલવે ફાટક વિસ્તારમાંથી બે ઇસમોનો ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળતા ચકચાર..!

Share

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાંથી પસાર થતી રેલવે ફાટક પાસે આજે સવારે બે ઇસમોના મૃતદેહ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો, બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

આજે સવારે શક્તિનાથ રેલવે ફાટક વિસ્તારમાં મૂળ દાહોદના અને હાલમાં અયોધ્યાનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને મજૂરી કરી ગુજરાન ચલાવતા રાકેશ ચંદુ માવી ઉ.વ આશરે ૩૫ વર્ષ અને ચંદરૂ કાલજી પરમાર ઉ.વ આશરે ૨૬ નાઓના મૃતદેહ ઇજાગ્રસ્ત હાલતમાં રેલવે ફાટકની બાજુમાંથી મળી આવ્યા હતા, મજૂરી કામ કરી ગત સાંજથી ગુમ થયેલા બંને ઇસમોના મૃતદેહ મળી આવતા તેઓની લાશને પી.એમ અર્થે ખસેડી રેલવે પોલીસે હત્યાની આશંકા એ મામલા અંગેની તપાસ શરૂ કરી છે.

Advertisement

મહત્વની બાબત છે કે બંને ઈસમો આખરે રેલવે ટ્રેક પાસે કંઇ રીતે પહોંચ્યા તેમજ ભરૂચ-દહેજ રેલવે લાઇન ઉપર ટ્રેનોની અવરજવર પણ ખૂબ ઓછી હોય છે ત્યારે બંને ઇસમોના મોત ટ્રેનની અડફેટે થયા છે કે પછી કોઈ એ તેઓની હત્યા કરી છે અથવા અન્ય સ્થાને હત્યા કરી લાશોને ટ્રેક પાસે લાવીને ફેંકવામાં આવી છે તેવી તમામ બાબતો સમગ્ર ઘટના ક્રમ બાદથી લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

રાજપીપળા : 31 મી ડિસેમ્બરના પર્વ ટાણે કુલ રૂ. ૨,૧૯,૮૮૦/- નો વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

સુરત મહાનગરપાલિકાનાં જાગૃત કોર્પોરેટર દિનેશ કાછડીયાએ શહેરમાં ફરતી બી.આર.ટી.એસ. બસના કંડકટરો દ્વારા મુસાફરોને ટિકીટ ન આપીને રૂપિયા ચાઉં કરી જતાં હોવાની ગંભીર ફરિયાદ લાંચ રૂશવત ખાતાને કરી છે.

ProudOfGujarat

વડોદરા : ધંધાની લાલચમાં સંબંધીઓનો સહારો લઇ પુત્રએ જ પિતાની કરી હત્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!